બજારોમાં કેરીની મોસમ સાથે જાંબુડા–રાવણાનું આગમન

  • June 07, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ–પ્રભાસપાટણમાં કેસર કેરીની સિઝનમાં થોડાભાવ ફેર સાથે ફળોના રાજાને પણ દેખાડી રહ્યા છે કે હમ ભી કુછ ક્રમ નહીં.બજારમાં કેરીનો ભાવ .૧૦૦ છે જયારે રાવણાનો ૮૦ના કિલો છે. સોમનાથ આવતા પર્યટકોમાં રાવણા પહેલી પસંદગી છે.
સોમનાથ મંદિર પાસે ફળફળાદી દુકાનોમાં અને શાકમાર્કેટમાં ઔષિધી ગુણયુકત રાવણાને લોકો કાળા જાંબુ પણ કહે છે.જેનો જાંબુડિયો કલર અને ઘેરો જાંબલી કલર હોય છે. સ્વાસ્થ્યને પૌષક તત્વો આપનાર અને આયુર્વેદશાક્રોને જેને અનેક રોગોમાં રોગ પ્રતિકારશકતિપ ગણાવ્યા છે.લોક માન્યતા મુજબ તેમા ફાયબર સહિતના અનેકો વિટામીન હોવાથી પાચનશકતિને મજબુત બનાવે છે.તેના ઠળીયાનું ચૂર્ણ કરી ઉપયોગ કરો તો તે પણ ગુણકારી બને છે.જાંબલી કલરના એ રાવણાને મુખમાં મુકો અને ફેરવી પછી દાંત–જીભથી ગોળ ગોળ ફેરવી તેનો ગર્ભ વાગોળો અને ફકત ખાલી ઠળીયો રહે ત્યારે તે ઠળીયાને બહાર ફેંકો ત્યારે સ્વાદમાં અનોખી અનુભૂતિ થાય છે.તેની મીઠાશ પણ એવી કે જે હિંદી ફિલ્મમાં લીંબુડા લીંબુડા રે...લીંબુડા ગીતના લેખકે કદાચ ધારો કે જાંબુનો સ્વાદ માણ્યો હોત તો તે લીંબુડાને બદલે જાંબુડા...જાંબુડા..રે..મીઠા જાંબુડા ગીત આપણને સાંભળવવા મળ્યું હોત, વેકેશનમાં સોમનાથ આવેલા પ્રવાસીઓ હરતા–ફરતા ખાઈ શકાય તેવા આ ફળને મોજથી ખરીદે છે. જાંબુનું પાટનગર જૂનાગઢ પાસે આવેલ વંથલી છે પરંતુ હવે આ વિસ્તારમાં પણ કયાંક–કયાંક આ વૃક્ષ ફળ સીમ–સેઢે છે. આઠ–દસ દિવસમાં કેરીની સિઝન પૂરી થતા જ છેક નવરાત્રી–દિવાળી સુધી અને ચોમાસામાં રાવણા એકચક્રી સમાટ જેવું શાસન ભોગવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News