ચેમ્બરની સામાન્ય સભા વિવાદાસ્પદ બની હતી.પોરબંદરમાં વેપાર-ધંધાના વિકાસ અને સંચાલન હેતુ વર્ષ -૧૯૬૫થી કાર્યરત થયેલ છે અને અનેક મહાનુભાવોએ આ સંસ્થાનું સુકાન સંભાળેલ છે. તથા સેવાઓ આપેલ છે.
આ સંસ્થાનું સ્નેહમિલન અને પ્રથમ સામાન્ય સભા આયોજન થયેલ હતુ આ સંસ્થાના પૂર્વ પ્રમુખ નલીનભાઇ કાનાણી, રાજેશભાઇ બુધ્ધદેવ, સુભાષભાઇ ઠકરાર, ચંદ્રેશભાઇ સામાણી સહિતના વેપારી આગેવાનો મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકશાહી ઢબે આ સંસ્થા ચાલે અને જો કોઇ પ્રશ્ર્નો કે ફરીયાદો હોય તેનું નિરાકરણ લાવવા તેમજ વાર્ષિક હિસાબો સંબંધે અગાઉથી લેખિત રજૂઆત કરી માંગણી કરેલ હતી. હાલના આ સંસ્થાના હોદેદારો જિજ્ઞેશભાઇ કારીયા, ભરતભાઇ લાખાણી કે ભરતભાઇ રાયચુરા બંધારણ મુજબ નિયુક્તિ પામેલ નથી અને તેથી તેઓ દ્વારા આયોજિત થયેલ આ મીટીંગ જ ગેરબંધારણીય ગણાવી જોઇએ પરંતુ તેમ છતા બેઠક યોજાઇ હતી.નલીનભાઇ કાનાણીને આ મીટીંગમાં હાજર ન રહેવા દેવા માટે હાલના હોદેદારોએ પ્રયત્નો કરેલ ઉપરાંત પોલીસવિભાગને જાણ કરી તેમના સહિતના આગેવાનો જે પ્રશ્ર્નોની રજૂઆત કરવા માંગતા હોય તેમને બહાર મોકલવા કહેલ પરંતુ પોલીસ વિભાગના અધિકારીઓએ કાગળો જોઇને વ્યાજબી રજુઆત સાંભળીને આ તમામ આગેવાનોને હાજર રહેવા પરવાનગી આપી મીટીંગ શાંતિપૂર્ણ કરવા જણાવેલ હતું. વાર્ષિક હિસાબોમાં અસ્પષ્ટ અથવા શંકાસ્પદ હિસાબોની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સામાન્ય સભા, ગિફટ, ચુંટણીખર્ચ ૧૦ લાખથી વધુ હોય તેવી વિગતો ભાવીનભાઇ કારીયાએ રજૂઆત કરેલ હતી. ઉપરાંત સન્માન સમારંભ ખર્ચ ા. ૪લાખથી વધુ હોય તેની વિગતો રાજેશભાઇ બુધ્ધદેવે માંગી હતી અને ખોટા ખર્ચ ન કરવા સુચન કરેલ હતા.
આ સંસ્થાના નોંધાયેલ સભ્યોની કાયદેસરતા, વિભાજીત થયેલ પેઢીના પ્રતિનિધિના સભ્યપદ, બંધ પડેલ સંસ્થાના સભ્યોનું સભ્યપદ રદ કરવા સહિતની રજૂઆતો કેતનભાઇ ભરાણીયા, સંજયભાઇ કારીયા, મીલનભાઇ કારીયા સહિતના આગેવાનોએ કરી હતી.
આ સંસ્થામાં ખુબ મોટો જી.એસ.ટી. અને દંડ ભરવો પડેલ હોય તેમજ ગેરકાયદેસર બાંધકામ અંગે પણ સંસ્થા પર ખુબ આર્થિક ભારણ આવેલ હોય તેની ચર્ચા થઇ હતી.
આ સંસ્થામાં મંડપ સર્વિસ સંબંધે ખૂબ ફરીયાદો મળતા મોનોપોલી કોન્ટ્રાક્ટ રદ કરીને સભ્ોયને મનપસંદ મંડપ સર્વિસ પાસે કામ કરવા છૂટછાટ આપવાની માંગણી સંસ્થાના સભ્યો જીતુભાઇ મદલાણી, નિલેશભાઇ ઘાણી તથા અન્ય સભ્યોએ માંગણી કરી હતી. જ્યારે ગેરકાયદેસર બાંધકામ ઇમ્પેકટ ફીના કારણે થયેલ નુકશાની, સેવાકીય પ્રવૃત્તિઓ માટેની આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ, ભાડે આપેલજગ્યા અંગેની વિગતો સંસ્થાના સભ્યો મુકેશભાઇ દતાણી, રાજેશભાઇ માંડવીયા, કાંતિભાઇ માંડવીયા,દિવ્યેશભાઇ ચોલેરા, ચેતનભાઇ સીમરીયા સહિતના તમામ આગેવાનોએ માંગેલ હતી. આ સંસ્થા સંબંધે ચેરીટી કમીશ્ર્નર રાજકોટમાં કેસ ચાલી રહ્યા છે. જેનો બહુ જલ્દી નિવેડો આવી જશે એ દૂધનું દૂધ થઇ જશે તેવો આશાવાદ વ્યકત કરેલ હતો .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઈમાં ખાલી પડેલી ૧૩૩૯૯ બેઠકમાં એડમિશન માટેનો આજે બીજો રાઉન્ડ
May 15, 2025 10:47 AM6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech