પ્રથમ વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા ૩૩,૦૦૦ ભારતીય સૈન્ય સૈનિકોના નામ કે જે ઈરાકમાં એક સ્મારકમાંથી ગુમ થયા હતા, આખરે ડિજિટલ રીતે રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ રીતે ભારતીયોને સન્માન મળ્યું છે. જો કે તે વહેલું મળવું જોઈતું હતું. ૧૦૦ વર્ષ પહેલા કરવું જોઈતું હતું તે કામ હવે કરી બ્રિટને ભૂલ સુધારી લીધી છે. કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશન, એક સંસ્થા જે બંને વિશ્વયુદ્ધોમાં મૃત્યુ પામેલા બ્રિટિશ
કોમનવેલ્થ સૈનિકો અને મહિલાઓની યાદમાં સેવા આપે છે, તેણે બસરા સ્મારક માટે નવા ડિજિટલ નામ પેનલ શરૂ કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરાયેલ, આ ડિજિટલ પેનલમાં પ્રથમ વખત ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોના નામ, અન્ય દેશોના ૪૬,૦૦૦ થી વધુ સૈનિકોના નામનો સમાવેશ થાય છે.
સીડબ્લ્યુજીસી સભ્ય અને લેખક શ્રાબણી બાસુએ કહ્યું, મેસોપોટેમીયાનું અભિયાન પ્રથમ વિશ્વયુદ્ધનું ખૂબ જ મુશ્કેલ અભિયાન હતું. તેમાં હજારો
ભારતીય સૈનિકો શહીદ થયા હતા, પરંતુ તેમના નામ ક્યારેય બસરા સ્મારક પર લખવામાં આવ્યા ન હતા. હવે નવા ડિજિટલ પેનલો જોઈને આનંદ થયો. આ ૩૩,૦૦૦ સૈનિકોના નામ, તેમના રેન્ક અને રેજિમેન્ટ સાથે આખરે પ્રદર્શિત થઈ રહ્યા છે. આ જૂની ભૂલ સુધારવા જેવું છે. તેમના બલિદાનને ક્યારેય ભૂલાશે નહીં.
ઈરાકમાં નબળી સુરક્ષા પરિસ્થિતિને કારણે, સ્મારકમાં મોટા ફેરફારો કરવા મુશ્કેલ હતા. તેથી, સીડબ્લ્યુજીસીએ ડિજિટલ માધ્યમ પસંદ કર્યું. આ ડિજિટલ
પેનલોનો ઉપયોગ ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી ત્યાં કાર્ય યોગ્ય રીતે પૂર્ણ ન થાય. સીડબ્લ્યુજીસી ઇતિહાસકાર ડૉ, જ્યોર્જ હેએ કહ્યું, આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે. પહેલીવાર, આ ભારતીય સૈનિકોના નામ બરાબર તે રીતે પ્રદર્શિત થઈ રહ્યા છે.
જેમ તેઓ ૧૦૦ વર્ષ પહેલા હોવા જોઈએ, હવે તેમને તે સન્માન મળી રહ્યું છે જે તેઓ લાયક હતા. આ એક ઐતિહાસિક ભૂલને સુધારવા તરફનું એક મોટું પગલું છે.
નામોથી નહીં, સંખ્યાઓથી યાદ રહેશે
આ પ્રથમ વિવયુદ્ધમાં ઘણા ભારતીય સૈનિકોને નામથી નહીં, પરંતુ ફક્ત સંખ્યાઓથી યાદ કરવામાં આવ્યા હતા. સીડબ્લ્યુજીસી હવે અસમાનતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંસ્થાએ સમજાવ્યું કે ડિજિટલ સ્મારકો ભૌતિક સ્મારકોનું સ્થાન લઈ શકતા નથી, પરંતુ તેઓ તેમને પૂરક બનાવે છે. આનાથી વિશ્વભરના લોકો આ શહીદેની વાર્તાઓ સરળતાથી વાંચી શકે છે અને શેર કરી શકે છે, ભલે તેઓ વ્યક્તિગત રીતે સ્મારકની મુલાકાત ન લઈ શકે.