રાજકોટ મહાપાલિકામાં રાજય સરકારના આરોગ્ય વિભાગના આદેશ અનુસાર પીએમજેએવાય–મા યોજના અંતર્ગત હોસ્પિટલો સામે દર્દીઓ તરફથી આવતી ફરિયાદો સાંભળવા અને તેનું હિયરિંગ કરવા દર સાહે ડેપ્યુટી કમિશનર અને ચીફ હેલ્થ ઓફિસર સહિતની કમિટિ દ્રારા મિટિંગ યોજવામાં આવે છે, દરમિયાન જુલાઇ–૨૦૨૪માં રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં આવેલી મવડીની સિનર્જી હોસ્પિટલ દ્રારા આયુષ્યમાન કાર્ડધારક પાસેથી ગેરકાયદેસર રીતે .૧૦ હજારની રકમ વસુલાઇ હોવાની ફરિયાદ મળતા આ મામલે યોજનાના નિયમ અનુસાર હોસ્પિટલ વિધ્ધ કાર્યવાહી હાથ ધરી દર્દીને .૧૦ હજારની રકમ પરત અપાવાઈ હતી તેમજ હોસ્પિટલને દર્દી પાસેથી વસુલ કરેલી રકમ કરતા પાંચ ગણી વધુ રકમ .૫૦ હજારની પેનલ્ટી ફટકારી છે.
વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ. વકાણીને પીએમજેએવાય–મા યોજના અંતર્ગત પેનલ્ટી અંગે નાયબ નિયામક ગાંધીનગરએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પીએમજેએવાય–મા યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક .૧૦ લાખ સુધી નિયત કરેલ પ્રાથમિક, સેકન્ડરી તેમજ ટર્શરી બિમારીઓ માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે.દરમિયાન રાજકોટ જિલ્લાની આયુષ્માન સિનર્જી પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ દ્રારા દર્દી રાજુભાઇ પાસે ડીપોઝીટ પેટે .૧૦,૦૦૦ની રકમ ભરાવેલ હતી. જે બાબતે હોસ્પિટલની ગેરરીતી અન્વયે જિલ્લા કક્ષાએથી બ હોસ્પિટલ અને લાભાર્થીની બ મુલાકાત કરાઇ હતી. ત્યારબાદ હોસ્પિટલ દ્રારા લાભાર્થી પાસે લીધેલ રકમ .૧૦,૦૦૦ જે હોસ્પિટલ દ્રારા તા.૨૩–૧૨–૨૦૨૪ના રોજ પરત કરાવેલ છે. પત્રમાં ઉમેયુ છે કે યોજનાની માર્ગદર્શિકા અનુસાર ઈંહહશલફહ ભફતવ ાફુળયક્ષતિં બુ બયક્ષયરશભશફુિ અંતર્ગત ઋશતિ િંઘરરયક્ષભય માં હોસ્પિટલને પાંચ ગણી પેનલ્ટી કરવાની થાય છે. જેથી હોસ્પિટલ દ્રારા લાભાર્થી પાસેથી .૧૦ હજારની રકમ લીધેલ જે હોસ્પિટલએ પરત કરેલ પરંતુ તે રકમ ઉપર પાંચ ગણી પેનલ્ટી જે .૫૦,૦૦૦ની રકમ યોજનાની માર્ગદર્શિકા અનુસાર થાય છે આથી હોસ્પિટલ દ્રારા પેનલ્ટીની રકમ કામગીરીના સાત દિવસમાં યોજનાના બેન્ક એકાઉન્ટ નંબરમાં જમા કરવાની રહેશે. જો હોસ્પિટલ દ્રારા સાત દિવસમાં પેનલ્ટી રકમ ભરવામાં નહી આવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર આપની હોસ્પિટલ વિદ્ધ કડક પગલા લેવામા આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech