સુરત 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે વધુ એક દર્દીનો જીવ બચાવ્યો છે. મૂળ સુરતના વતની સુનિલાબેન અરવિંદભાઈ શાહ (76) જે હરિદ્વાર ફરવા ગયા હતા ત્યાં બ્રેન સ્ટ્રોક થતાં તેમને દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને આજે એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત પરત લાવવામાં આવ્યા હતા.
સુરત એરપોર્ટ પર 108 ઈમરજન્સી સેવા દ્વારા સુનિલાબેનને સુરતની મૈત્રેય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે 108 ઈમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
108 ઈમરજન્સી સેવાની યાત્રા:
છેલ્લા 17 વર્ષથી સુરત 108 ઈમરજન્સી સેવા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કામ કરી રહી છે. આ સેવાએ લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ ના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી 52 દર્દીઓના એર લિફ્ટ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે.
સુનિલાબેનના પરિવારને રાહત:
સુનિલાબેનના પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સની ટીમનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, સુનિલાબેનની તબિયત ગંભીર હતી અને એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત લાવવાથી તેમને સમયસર સારવાર મળી શકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech