સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની પૃથ્વી પર આવવાની રાહ વધી રહી છે. નાસાએ બુધવારે જણાવ્યું હતું કે બોઇંગના સ્ટારલાઇનરને બદલે સ્પેસએક્સ ફ્લાઇટમાં બંને અવકાશયાત્રીઓને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. આ વિકલ્પ તેમને ફેબ્રુઆરી 2025 સુધી સ્પેસ સ્ટેશન પર રાખી શકે છે.
છેલ્લા ઘણા દિવસોથી અવકાશમાં અટવાયેલા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોર પૃથ્વી પર ક્યારે પરત ફરશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. નાસાએ બુધવારે કહ્યું કે તે આગામી વર્ષની શરૂઆત સુધી અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રાખવા કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યું છે.
નાસાએ કહ્યું કે બોઈંગના સ્ટારલાઈનરને બદલે સ્પેસએક્સ ફ્લાઇટમાં બંને અવકાશયાત્રીઓને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. આ વિકલ્પ તેમને ફેબ્રુઆરી 2025 સુધી સ્પેસ સ્ટેશન પર રાખી શકે છે. બંને અવકાશયાત્રીઓ જેમણે 5 જૂન, 2024 ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને ISS સુધીની તેમની મુસાફરી શરૂ કરી હતી, હવે તકનીકી ગૂંચવણોને કારણે 2025 સુધી ભ્રમણકક્ષામાં રહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech