પરસોતમ માસનો પ્રારંભ થયો હોય, તંત્ર તેમજ નેતાઓને લેખિત રજૂઆતો
વૈષ્ણવ સંપ્રદાય સાથે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીનાથજી (નાથદ્વારા) ખાતે અનેક ભક્તો દર્શનાર્થે જાય છે. નાથદ્વારા દર્શન કરવા માટે દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધી રહી છે.
ખંભાળિયાથી નાથદ્વારા જવા માટે એક પણ એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આ મહત્વની બાબત અંગે અહીંના વૈષ્ણવો દ્વારા ખંભાળિયાના એસટી ડેપો મેનેજરને સંબોધીને એક પત્ર પાઠવી, ખંભાળિયાથી નાથદ્વારા માટે તાકીદે એક સારી બસ શરૂ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.
હાલ પરસોતમ માસનો પ્રારંભ થયો હોય અને સાથે સાથે પૂનમ અને નિયમિત નાથદ્વારા ખાતે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ મોટી હોય, આ બસ શરૂ કરવામાં આવે તો ફક્ત ખંભાળિયા શહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના વૈષ્ણવો-ભક્તોને રાહત સાથે ફાયદો બની રહે.
આટલું જ નહીં, જો આ બસ શરૂ કરવામાં આવે તો એસટી તંત્રને પણ આર્થિક ફાયદો થવાનું જણાવી, તાકીદે ખંભાળિયા-નાથદ્વારા રૂટમાં બસ ચલાવવામાં આવે તેવી લેખિત રજૂઆતો થઈ છે.
આ માટે દરરોજ સાંજે ૪ વાગ્યે અહીંથી બસ ઉપડે જે બીજા દિવસે સવારે નાથદ્વારા પહોંચે. અહીં પૂનમ ભરીને કે દેવદર્શનનો લાભ લઈ અને સમયની બચત સાથે આર્થિક બચત કરીને ભાવિકો અત્રે પરત ફરી શકે.
આ મહત્વના મુદ્દે તાત્કાલિક અમલ કરવા સુરજભાઈ દવે, મયંકભાઈ શર્મા, નીરૂબેન બદીયાણી, સુભાષ પોપટ, દોલતરાય દતાણી, પ્રતાપરાય દયાળજી, સહિતના વૈષ્ણવોએ સંયુક્ત સહીઓ સાથેની રજૂઆત કેબિનેટ મંત્રી અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરેને પણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech