શહેરના સાધુ વાસવાણી રોડ ઉપરના સ્વામીસ રેસ્ટોરન્ટ તેમજ યુનિ.રોડના દોશી ફાસ્ટ ફૂડમાંથી 17 કિલો વાસી જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. જ્યારે બાલાજી થાળમાં ગંદકી જોવા મળતા નોટિસ ફટકારાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 4-નિલકમલ પાર્ક, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ સ્વામી’સ રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ આઠ કિલો દહીં તથા ચાર કિલો નુડલ્સ, ચટણી વગેરે પ્રિપેર્ડ ફૂડ મળીને કુલ 12 કિલો વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ સ્થળ ઉપરથી મૈસૂર ઢોસાના મસાલાનો નમૂનો લેવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિવર્સિટી રોડ ઉપર આવેલ અંશ દોશી ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી બ્રેડ તથા એક્સપાયરી થયેલ સોસ વગેરે મળીને કુલ પાંચ કિલો વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. જ્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડી નજીકના વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલ બાલાજી થાળ પેઢીની તપાસ કરતા હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
જ્યારે શહેરના પેડક રોડ થી પુનિતનગર-વાવડી, 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech