શિવરાજપુર બીચ ખાતે વિશેષ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત

  • May 24, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

"સ્વચ્છ સમુદ્ર, સુરક્ષીત સમુદ્ર"ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સંકલનમાં રહી દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર ૧૫ (ઉત્તર ગુજરાત) દ્વારા સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ જનભાગીદારી અને સમુદ્રી પ્રદૂષણ નિવારણ તેમજ સ્વસ્થ મહાસાગરો માટે ટકાઉક્ષમ જીવનશૈલી અપનાવવા અંગે જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ હતો.
ઓખા સ્થિત તમામ ફ્લોટિંગ અને સમુદ્રકાંઠાના એકમોમાં કાર્યરત ભારતીય તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મીઠાપુર અને મહિલા વિકાસ મંડળ, રાજકોટના પ્રતિનિધિઓ સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.  આ કવાયત દરમિયાન આશરે ૯૫૦ કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કચરાના નિકાલ માટે દ્વારકાની નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આઈ.સી.જી. "સ્વચ્છ ભારત અભિયાન" પ્રત્યે પ્રતિબદ્ધ છે. જેનો ઉદ્દેશ્ય સમુદ્ર કિનારાને સુઘડ અને સ્વચ્છ રાખવા અને સમુદ્રી પર્યાવરણને પ્રદૂષિત ટાળવા માટે સ્થાનિક લોકોને શિક્ષિત અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓના ૨૫૦ જેટલા કર્મચારીઓ સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application