રશ્મિકાં ,માંમુટી સહિત આ દિગ્ગજોએ ઉદાર હાથે મદદ મોકલી
કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. ભુસ્ખલનથી અત્યાર સુધી 254 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે સાઉથ એક્ટર્સે પીડિતોની તરફ મદદનો હાથ લંબાવ્યો છે.અને હજુ પણ બનતી તમામ મદદ મોકલવાની તૈયારી પણ બતાવી છે.
કેરળના વાયનાડમાં બે દિવસ પહેલા થયેલા મુશળધાર વરસાદે આફત ઉભી કરી છે. મોટાપાયે થયેલા ભુસ્ખલનથી ભારે તબાહી જોવા મળી. આ ભુસ્ખલન બાદ અત્યાર સુધી 254 લોકોના મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે. જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. વાયનાડથી આવી રહેલી તસ્વીરો ખૂબ જ ભયાનક છે.
આ વચ્ચે ઘણા મલયાલમ એક્ટર્સે ભુસ્ખલન પીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રહત નિધિમાં ડોનેટ કર્યું છે. મલયાલમ સુપરસ્ટાર મમુટી અને તેમના દિકરા ગુલકર સલમાને 25 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાનું કોન્ટ્રિબ્યુટ કર્યું છે. રશ્મિકાએ પણ મદદ મોકલી છે.એક્ટ્રેસે સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. મમૂટીના ચેરિટેબલ ટ્રસ્ટ પણ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. સાથે જ ભુસ્ખલન પ્રભાવિત પીડિતોને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમાં ફૂડ આઈટમ, દવાઓ, કપડા અને બીજી જરૂરી વસ્તુઓ શામેલ છે.
સાઉથ સુપરસ્ટાર્સે મદદ માટે લંબાવ્યો હાથ
એક બાજુ ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તો ત્યાં જ બીજી બાજુ પ્રભાવિત પરિવારોની મદદ માટે સાઉથ સુપરસ્ટાર્સ પણ આગળ આવી ગયા છે. મમૂટી અને દુલકર સલમાન બાદ ફદાહ ફાસિલ અને તેમની પત્ની નજરિયા નાજિમે પણ જરૂરીયાતમંદ લોકોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech