સોનમ વાંગચુકે દિલ્હીમાં 16 માં દિવસે આમરણાંત ઉપવાસ કર્યા સમાપ્ત

  • October 22, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગૃહ મંત્રાલયની ખાતરી બાદ સોનમ વાંગચુકે આમરણાંત ઉપવાસ સમાપ્ત કર્યા છે. તેઓ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેને મળ્યા અને તેમને ગૃહ મંત્રાલયનો એક પત્ર આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંત્રાલયની ઉચ્ચ-સત્તાવાળી સમિતિ જે લદ્દાખના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. તેમની સાથે આગામી બેઠક 3 ડિસેમ્બરે થશે. આ પછી વાંગચુક અને તેમના સમર્થકોએ તેમની ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો અને ધરણા પણ સમાપ્ત કર્યા છે.


સોનમ વાંગચુકે કહ્યું કે અમારા ઉપવાસના 16મા દિવસે મને જણાવતા આનંદ થાય છે કે અમારી અપીલનો ઉકેલ આવી ગયો છે. હવે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અહીં લદ્દાખ ભવન આવ્યા અને મને આ પત્ર આપ્યો, જેમાં વાતચીતનો ઉલ્લેખ છે. વાંગચુકે વધુમાં જણાવ્યું હતું કે લેહ એપેક્સ બોડી અને કેડીએ વચ્ચે કારગીલમાં કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં ડિસેમ્બર સુધીમાં ફરી શરૂ થશે. તેમણે આશા વ્યક્ત કરી કે મંત્રાલય અને લદ્દાખના બે ક્ષેત્રો, લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના બે સામાજિક-રાજકીય સંગઠનો વચ્ચેની મંત્રણાના પરિણામ સકારાત્મક આવશે.


ફરીથી ઉપવાસ કરવાની જરૂર નથી

વાંગચુકે એમ પણ કહ્યું કે હું માત્ર આશા રાખું છું કે આ કારણોસર મારે ફરીથી ઉપવાસ ન કરવો પડે અને તેના પરિણામો ખૂબ સારા આવશે. આ પ્રયાસમાં અમને ટેકો આપનારા તમામનો આભાર માનવાની આ તક હું લેવા માંગુ છું. લદ્દાખ બૌદ્ધ એસોસિયેશનના પ્રમુખ ચેરીંગ દોરજે લાક્રુકે વાંગચુક અને અન્ય લોકોનો આભાર માન્યો જેમણે અટકેલી વાટાઘાટોને ફરીથી શરૂ કરવા કૂચ કરી.



લદ્દાખના સાંસદ મોહમ્મદ હનીફાએ પણ આશા વ્યક્ત કરી છે કે વાતચીતના સારા પરિણામ આવશે. તેમણે કહ્યું કે અમારે વિરોધ કરવા પાછા જવું પડ્યું કારણ કે લોકસભા ચૂંટણી પછી પણ મંત્રણા ફરી શરૂ થઈ નથી. અમને આનંદ છે કે વાટાઘાટો ફરી શરૂ થઈ રહી છે અને આશા છે કે જ્યાં સુધી કોઈ ઉકેલ ન મળે ત્યાં સુધી તે ચાલુ રહેશે. વાંગચુકે તેમના સમર્થકો સાથે લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ સાથે લેહથી દિલ્હી સુધી પગપાળા કૂચ કરી હતી. એક મહિના સુધી ચાલીને 30 સપ્ટેમ્બરે તેઓ દિલ્હી પહોંચ્યા હતા.


આ પછી તેને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેને 2 ઓક્ટોબરે છોડી દેવામાં આવ્યાં  હતા. આ પછી તેઓ 6 ઓક્ટોબરે ભૂખ હડતાળ પર બેઠા હતા. તે લદ્દાખ માટે પબ્લિક સર્વિસ કમિશન અને લેહ અને કારગિલ જિલ્લાઓ માટે અલગ લોકસભા સીટોની પણ માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application