આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી વધુ આઠ લોકોના મોત થયા છે. અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ ગંભીર છે. મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 60,000 થી વધુ લોકો અસરગ્રસ્ત છે.
આસામમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. 29 જિલ્લાઓમાં 21.13 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યની મોટાભાગની મોટી નદીઓમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે. સોનિતપુર જિલ્લામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે મોરીગાંવ, ડિબ્રુગઢ, દરાંગ, ગોલાઘાટ, બિશ્વનાથ અને તિનસુકિયા જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
11 પશુઓ પાણીમાં ડૂબ્યા
વહીવટીતંત્રે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 515 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં લગભગ 3.86 લાખ લોકો આશ્રય લઈ રહ્યા છે. પૂરના પાણી તેમના ઘરોમાં પ્રવેશ્યા પછી, ઘણા પૂર પ્રભાવિત લોકો સલામત સ્થળો, ઉચ્ચ સ્થાનો, શાળાની ઇમારતો, રસ્તાઓ અને પુલો પર આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં 11 પ્રાણીઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 65 અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDM)ના પૂરના અહેવાલ પ્રમાણે 2 જુલાઈના રોજ તિનસુકિયા જિલ્લામાં બે લોકોના મોત થયા હતા જ્યારે ધેમાજી જિલ્લામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
વહીવટીતંત્ર, સેના, અર્ધલશ્કરી દળો, એસડીઆરએફ બચાવ કામગીરીમાં વ્યસ્ત
સ્થાનિક વહીવટીતંત્ર, સેના, અર્ધલશ્કરી દળો અને એસડીઆરએફની બચાવ ટુકડીઓ ઘણી જગ્યાએ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને મંગળવારે વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લગભગ 2,900 લોકોને બચાવવામાં આવ્યા હતા.
મંગળવારે વહીવટીતંત્રે પૂર પ્રભાવિત લોકોમાં 10754.98 ક્વિન્ટલ ચોખા, 1958.89 ક્વિન્ટલ દાળ, 554.91 ક્વિન્ટલ મીઠું અને 23061.44 લિટર સરસોનું તેલનું વિતરણ કર્યું હતું અને પશુઓને ઘાસચારો પણ પૂરો પાડ્યો હતો. ASDMA ફ્લડ રિપોર્ટમાં જણાવાયું છે કે 11,20,165 પ્રાણીઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના પાણીથી 100 રસ્તાઓ, 14 પુલ અને 11 તટબંધને નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech