સ્માર્ટફોન અને ચાર્જર સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરાઈ

  • July 23, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટફોન અને ચાર્જર સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરાઈ  બજેટ 2024માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મોબાઈલ ફોન, મોબાઈલ પીસીડીએ અને મોબાઈલ ચાર્જર પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત  કરી  છે. આવનારા સમયમાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં કરેલી અમુક મોટી જાહેરાતોમાં આ પણ છે,  જેમાં મોબાઈલ ફોન અને ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન  ઝડપથી વધી  રહ્યું છે અને કુલ મૂડીરોકાણમાં આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપું રહ્યો છે ત્યારે ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે  કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.   બજેટ 2024માં સરકારે મોબાઈલ અને એસેસરીઝ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરી દીધી છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં  જણાવ્યુ  હતું કે ભારતીય મોબાઈલ ઈન્ડસ્ટ્રી હવે પરિપક્વ બની ગઈ છે. આથી હવે તેનો લાભ દેશને મળવો જોઈએ . આ સાથે તેમણે બેઝિક કસ્ટમ ડ્યુટી  ઘટાડવાની જાહેરાત કરી છે.મોબાઈલ ફોન, મોબાઈલ પીસીડીએ (પ્રિન્ટેડ સર્કિટ ડિઝાઈન એસેમ્બલી) અને મોબાઈલ ચાર્જિંગ પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં  ઘટાડો કરવામાં આવતા તેનો સીધો જ લાભ સ્થાનિક ગ્રાહકોને મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application