જસાપરમાં પગ લપશી જતા કુવામાં પટકાયેલી યુવતિને ઇજા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે એક વેઇટરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, બિમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે, જયારે જોડીયાના જસાપરમાં પાણી ભરતી વેળાએ કુવામાં અકસ્માતે પડી જતા આદીવાસી યુવતિને ઇજા થઇ હતી.
જામનગરના ખીજડીયા બાયપાસ પાસે આવેલી જયમાતાજી હોટલમાં રહેતા અને વેઇટર તરીકે કામ કરતા નબીન હરીભાઇ પરીયાર (ઉ.વ.૨૦) નામના નેપાળી યુવાનએ કોઇપણ બિમારીથી કંટાળી ગત તા. ૧૦ના રોજ બાથરુમમાં ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયું છે.
આ બનાવ અંગે મુળ મજકોટ ગામના વતની હાલ દરેડ જીઆઇડીસીમાં રહેતા નરેન્દ્ર હરીભાઇ પરીયાર દ્વારા ગઇકાલે પંચ-એમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં જોડીયા તાલુકાના જસાપર ગામે હાલ રહેતી વર્ષાબેન જીતેન્દ્રભાઇ માવી (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગત તા. ૧૩ના સાંજના સુમારે વાડીએ કુવામાં પાણી ભરતા હતા ત્યારે પગ લપશી જતા કુવામાં પડતા પછડાટ લાગતા ઇજા થઇ હતી, આ અંગે જોડીયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech