ખીજડીયા બાયપાસ પાસે બિમારીથી કંટાળી વેઇટરનો આપઘાત

  • July 15, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસાપરમાં પગ લપશી જતા કુવામાં પટકાયેલી યુવતિને ઇજા

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે એક વેઇટરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, બિમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે, જયારે જોડીયાના જસાપરમાં પાણી ભરતી વેળાએ કુવામાં અકસ્માતે પડી જતા આદીવાસી યુવતિને ઇજા થઇ હતી.
જામનગરના ખીજડીયા બાયપાસ પાસે આવેલી જયમાતાજી હોટલમાં રહેતા અને વેઇટર તરીકે કામ કરતા નબીન હરીભાઇ પરીયાર (ઉ.વ.૨૦) નામના નેપાળી યુવાનએ કોઇપણ બિમારીથી કંટાળી ગત તા. ૧૦ના રોજ બાથરુમમાં ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયું છે.
આ બનાવ અંગે મુળ મજકોટ ગામના વતની હાલ દરેડ જીઆઇડીસીમાં રહેતા નરેન્દ્ર હરીભાઇ પરીયાર દ્વારા ગઇકાલે પંચ-એમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં જોડીયા તાલુકાના જસાપર ગામે હાલ રહેતી વર્ષાબેન જીતેન્દ્રભાઇ માવી (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગત તા. ૧૩ના સાંજના સુમારે વાડીએ કુવામાં પાણી ભરતા હતા ત્યારે પગ લપશી જતા કુવામાં પડતા પછડાટ લાગતા ઇજા થઇ હતી, આ અંગે જોડીયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application