શ્રદ્ધા કપૂરે આપ્યા શાદીના સંકેત, ચાહકોને પાર્ટનરનું નામ જાણવામાં રસ

  • February 05, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં એક પોસ્ટ કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. પોસ્ટમાં 4 તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે લગ્ન કરી લઉં? ત્યારબાદ ફેન્સ સતત દુલ્હાનું નામ પૂછીને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની એક્ટિંગની સાથે-સાથે સિંગિગ અને પોતાના હસમુખા સ્વભાવને કારણે જાણીતી છે. શ્રદ્ધાના સોશિયલ મિડીયામાં ઘણાં બધા ફોલોઅર્સ છે. કારણકે આ દિવસોમાં પ્રોફેશનલ અને પર્સનલ જીવનની અનેક નાની-મોટી ઝલકો શેર કરતી રહેતી હોય છે. જો કે અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એક મસ્ત કેપ્શનની સાથે કેટલીક ખૂબસુરત તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે લગ્ન કરી લેવા જોઇએ…જો કે આ કેપ્શન વાંચીને ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે અને જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તાજેતરમાં શ્રદ્ધા કપૂરે સોશિયલ મિડીયા હેન્ડલ પર મસ્ત તસવીરો શેર કરી છે. વ્હાઇટ કલરના સલવાર સૂટમાં એ સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે. તસવીરના કેપ્શનમાં શ્રદ્ધાએ પોતાના ફેન્સ અને ફોલોઅર્સને પૂછ્યુ કે શું એને લગ્ન કરી લેવા જોઇએ કારણકે એ ખૂબસુરત દેખાઇ રહી છે. તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે સારી લાગી રહી છૂ, લગ્ન કરી લઉં? અભિનેત્રીએ આ કેપ્શનની સાથે-સાથે ઇમોજી પણ મુક્યુ છે.


ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા

પછી થયુ કંઇક એવું કે શ્રદ્ધા કપૂરે જેવી આ પોસ્ટ શેર કરી એમ તરત જ કોમેન્ટ બોક્સમાં સવાલો થવા લાગ્યા. એક યુઝરે લખ્યુ કે તને દુલ્હનના રૂપમાં જોવાની રાહ જોઇ રહ્યો છું, જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ કે પ્લીઝ કરી લો, દુલ્હો મળી ગયો કે શું?


શ્રદ્ધા કપૂરનું વર્કફ્રન્ટ

શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ  ‘તુ જૂઠી મેં મક્કાર’ માં નજરે પડી હતી. વર્ષ 2018ની મોસ્ટ અવેટેડ સિક્વલ સ્ત્રી 2 માટે તૈયાર છે. ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે શ્રદ્ધાની વાપસી થશે. આ ફિલ્મ 31 ઓગસ્ટ 2024ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.


ઉલ્લેખનીય છે કે આ પહેલાં શ્રદ્ધા કપૂરના લગ્નની વાત બહુ ચર્ચાઇ હતી, ત્યારે એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ જણાવ્યું હતુ કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે અને તેની પાસે આ બધી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત મારી ફિલ્મો પર ફોકસ કરવા માંગુ છું. આ ફક્ત એક અફવા છે, જેને તમે લોકો વધુ ફેલાવી રહ્યા છો. આ પહેલા શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર પણ પોતાની દીકરીના લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી ચુક્યા છે. શક્તિ કપૂરને જ્યારે શ્રદ્ધાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની દિકરી એક સારા વ્યક્તિ સાથે લગ્ન કરે અને તેનો સારો પરિવાર હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application