વિધાનસભા ગૃહમાં સરકારે રજૂ કરેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. કચ્છ જિલ્લામાં નોંધાયેલા બેરોજગારો કરતાં અનેક ગણા વધુ લોકોને નોકરી આપવામાં આવી હોવાનું સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે. કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના નોકરી અને બેરોજગારી અંગેના સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી છે.
સરકારના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર 2024 સુધીમાં કચ્છમાં 7761 બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં 44788 બેરોજગારોને રોજગારી મળી છે. આમાં 6287 શિક્ષિત અને 1474 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લા બે વર્ષમાં 36376 શિક્ષિત અને 8412 અર્ધશિક્ષિત બેરોજગારોને રોજગારી મળી છે.
આ આંકડાઓ દર્શાવે છે કે કચ્છમાં નોંધાયેલા બેરોજગારો કરતાં અનેક ગણા વધુ લોકોને રોજગારી મળી છે. સરકારનો આ જવાબ આશ્ચર્યજનક અને પ્રશંસનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech