સલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું

  • April 19, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જરૂર જણાય તો પોલીસ-વેપારી મંડળનો સંપર્ક સાધવા અપીલ કરાઇ

હાલમાં સલાયામાં અમુક જાણભેદુ યુવાનો કાર્યકરોનો દેખાવ કરી વેપારીઓને ફ્રોડ કરવા અને પૈસા પડાવવા ખોટી ઓળખ આપી અને કોલ કરે છે અને પોતે એલસીબી કે એસોજીના અધિકારી હોવાનો વેપારીને જણાવી અને એમને દુકાનના ખોટા દસ્તાવેજ છે અને જીએસટી નંબર નથી તેમજ ડિમોલેશન જેવી બીક દેખાડી અને વેપારીને ડરાવી ખોટી વાતોમાં લઈ અને વચેટિયા મારફત કે અન્ય રીતે પૈસા પડાવવા કાવતરા કરે છે.


આ બાબતે વેપારી મંડળના પ્રમુખ ભરત લાલ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ મૌખિક રજૂઆત કરી છે. અને આવા ઠગ-લેભાગુ તત્વોને દેવભૂમિ દ્વારકા પોલીસે પકડી પણ પાડેલ છે, આથી વેપારી મંડળ દ્વારા વેપારીઓને અપીલ કરાઇ છે કે, આવા ઠગ શખ્સોથી સાવચેત રહેવું તેમજ આવા કોઈ ફ્રોડ કોલ આવે તો તુરંત જ પોલીસ અથવા વેપારી મંડળનો સંપર્ક કરી કાયદેસર કાર્યવાહી કરવા અપીલ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News