મુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ

  • April 19, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશ મંદિરમાં વિશેષ આયોજનઃ શ્વેત રંગના વાઘા અને અલૌકિક વસ્ત્રાલંકારથી સુશોભિત થયા કાળિયા ઠાકર


દ્વારકાધીશ જગતમંદિરમાં આજે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શૃંગાર આરતી દરમિયાન ઠાકોરજીને સુકા મેવા મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશેષ મનોરથનું આયોજન ભાવિક ભક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વારાદાર પૂજારી રથંગ ઠાકરના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

શુક્રવારના દિવસે ઠાકોરજીને શ્વેત રંગના વાઘા અને વિશેષ વસ્ત્રાલંકારથી શણગારવામાં આવ્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ માત્ર સ્થાનિક ભક્તોએ જ નહીં, પરંતુ ઓનલાઈન માધ્યમો થકી દેશ-વિદેશમાં વસતા લાખો કૃષ્ણભક્તોએ પણ લીધો હતો. દર્શન કરી સૌ ભક્તો ભાવવિભોર બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application