રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા IPL 2025 નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુમાં વિજયની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 33 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે RCB ટીમ વિધાનસભા પહોંચી, ત્યારે વિધાનસભાની બહાર એક લાખ લોકો એકઠા થયા હતા. વિધાનસભામાં ઉજવણી ચાલી રહી હતી, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લગભગ 3 લાખ લોકો એકઠા થયા હતા. અમને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી, અને અમે તેના માટે તૈયાર નહોતા."
આ ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે. ક્રિકેટની ઐતિહાસિક જીતની ખુશી આ દુર્ઘટનાને કારણે શોકમાં પરિવર્તિત થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલથી સૌરાષ્ટ્ર પ્રો ટી-20 ક્રિકેટ લીગનો પ્રારંભ થશે: પાંચ ટીમો વચ્ચે જામશે જંગ
June 06, 2025 03:06 PMખાડાનગરના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ
June 06, 2025 03:01 PMટેન્ડર ભરવા લીધેલા 7.50 લાખનો મિત્રને ધુમ્બો મારનારને બે વર્ષની કેદ
June 06, 2025 02:44 PMપોરબંદરમાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યું:ત્રણના નીપજ્યા મોત
June 06, 2025 02:43 PMઆંગળિયાત પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મના કેસમાં સાવકા પિતાને જીવે ત્યાં સુધીની કેદ
June 06, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech