પોરબંદરમાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યું:ત્રણના નીપજ્યા મોત

  • June 06, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જીલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ ત્રણ લોકોના અપમૃત્યુના બનાવ નોંધાયા છે.
વીજશોકથી મોત
મુળ મધ્યપ્રદેશ તથા હાલ રાણાવાવમાં સતારભાઈની વાડીએ મજુરીકામ કરવા આવેલા મહેશ ભાર્ગવ દ્વારા રાણાવાવ પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યુ છે કે,તેની માતા ધનકોરબેન લાલુભાઈ ભાર્ગવ (ઉ.વ.૪૫) રાત્રે ૧૧:૦૦ વાગ્યે પંખો ચાલુ કરવા ગયા ત્યારે અચાનક વીજશોક લાગતા તેમનું મોત થયું છે.
પુત્રના વિયોગમાં માતાનો આપઘાત
રાણાવાવના શ્રીબાઈ નગરમાં રહેતા વિરમ પરમારે રાણાવાવ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે,રાણાવાવના હોળી ચકલામાં રહેતા ગગીબેન કારાભાઈ પરમાર (ઉ.વ.૬૫)એ તેમના ઘરે વહેલી સવારે ૬:૦૦ થી ૬:૩૦ દરમિયાન ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેમાં કારણ એવું દર્શાવ્યું છે કે,ગગીબેનનો એકનો એક દિકરો ત્રણ મહિના પહેલા મૃત્યુ પામ્યો હતો,ત્યારથી ગગીબેન ગુમસુમ રહેતા હતાઅને ખોટા વિચાર કર્યા કરતા હતા અને આ કારણસર પોતે ગળાફાંસો ખાઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.
મોઢવાડામાં યુવાનનો આપઘાત
મોઢવાડાના ખીમાભાઈ મોઢવાડિયાએ બગવદર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે,સંજય ખીમાભાઈ મોઢવાડિયા(ઉ.વ.૨૬) એ તા.૩૦/૫ ના સવારે ૭:૦૦ વાગ્યા પહેલા કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને તેને સારવાર માટે હોસ્પીટલે લવાયા બાદ સારવાર દરમિયાન સંજયનું મોત થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application