રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વસ્થ બનેલા નિરાધાર વૃધ્ધાને આશ્રય અપાવ્યો

  • May 31, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 75 વર્ષીય નિરાધાર વૃધ્ધાને હોસ્પિટલના હેલ્પ ડેસ્કની ટીમ અને એલ્ડર હેલ્પ લાઈનની મદદથી સુરેન્દ્રનગર નિરાંત ઘર ખાતે આશ્રય આપાવ્યો હતો.


સિવિલમાં 108 મારફતે અનેક લોકો સારવાર માટે દાખલ થતા હોય છે જેમાં ઘણા કેસમાં ખાસ કરીને સિનિયર સીટીઝન દર્દીના કોઈ સગ્ગા કે પરિવારજનો ન હોવાથી તેમની સારવાર અને આશ્રય આપાવવા માટે હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમ કાર્યરત છે. દરમિયાન સિવિલમાં 75 વર્ષીય વૃધ્ધા દાખલ થયા હોય અને તેમના કોઈ પરિવાર ન હોવાથી હેલ્પ ડેસ્કની ટીમે સારવાર અપાવતા સ્વસ્થ બન્યા હતા. બાદમાં સિનિયર સીટીઝન માટે સરકાર દ્વારા કાર્યરત એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭ નંબર અંગે હેલ્પ ડેસ્કની ટીમે વૃધ્ધાને જાણકારી આપતા ફોન કર્યો હતો. એલ્ડર લાઇનના ગુજરાત ના સિનિયર અધિકારી સીનું થાયિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના સ્વયંમ સેવક રાજદીપભાઈ પરમાર રાજકોટ સિવિલ હોસ્પિટલએ પહોંચી વૃધ્ધાને સુરેન્દ્રનગર નિરાંત ઘર ખાતે સુખદ આશ્રય આપાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application