ગોંડલના રાજાશાહી સમયના જર્જરીત બનેલા બન્ને પુલ અંગે હાઇકોર્ટની ગંભીર તાકીદ

  • November 02, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલત માં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટ મા આઇપીએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી રાજ્ય સરકારને નોટિસ પાઠવી આગામી સુનવણી આજે રાખી છે.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના અગ્રણી યતિષભાઈ દેસાઈ એ મોરબીની પુલ હોનારતને ટાંકી ગોંડલ ના સવાસો વર્ષ જુના બન્ને પુલ ની હાલત જર્જરીત હોય ભવિષ્યમાં મોરબી જેવી હોનારત ની ભીતી વ્યક્ત કરી નગરપાલિકાને રજુઆત કરી હતી.યતિષભાઈ દેસાઈના કહ્યા મુજબ નગરપાલિકા પુલ અંગેની રજુઆત પ્રત્યે ગંભીરતા નહી આપતા આખરે તેઓ દ્વારા હાઇકોર્ટ મા આઇપીએલ દાખલ કરાઈ હતી.જેના અનુસંધાને છ માસ પહેલા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા તથા રાજ્ય સરકારને પુલની વર્તમાન પરિસ્થિતિ અંગે રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. દરમ્યાન સરકાર, ડિઝાસ્ટર તથા કલેકટર ટીમ દ્વારા બન્ને પુલ ની હાલત જર્જરીત હોય ગમે ત્યારે ધરાશય થવાની શક્યતા દર્શાવતો રિપોર્ટ હાઇકોર્ટ મા રજુ કરાયો હતો.


બે દિવસ પહેલા આ મુદ્દે યતિષભાઈ દેસાઈ દ્વારા પ્રાયોરિટિ પીટીશન દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા આજે હીયરીંગ હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા ને વેધક સવાલ કરાયો હતો કે પુલ ને રીપેરીંગ ની જરુરીયાત હોવા છતા પુલ પર અવરજવર કેમ ચાલુ છે.?વધુ મા લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો તેવી ટકોર કરી હતી.દરમિયાન નગરપાલિકા દ્વારા પુલ ના રીપેરીંગ માટે પૈસા નહી હોવાનુ સ્વિકારી પુલ બે સ્ટેટ હાઇવે થી જોડાતો હોવાનુ અને રીપેરીંગ માટે ઉપર જાણ કરી હોવાનુ જણાવ્યુ હતુ.હાઇકોર્ટે મામલાને ગંભીર ગણાવી રાજ્ય સરકાર ને નોટિસ આપી વધુ સુનવણી તા.૩ ના મુક્કરર કરીછે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application