બાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

  • September 19, 2024 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં 4 થી 20 ઓગસ્ટ વચ્ચે થયેલી હિંસા અંગે એક લઘુમતી સંગઠને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં હિંસાની બે હજારથી વધુ ઘટનાઓમાં ઓછામાં ઓછા નવ લઘુમતીઓ માર્યા ગયા હતા અને 69 પૂજા સ્થાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે અનેક મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ પણ બની હતી.


બાંગ્લાદેશ હિંસામાં કેટલા લઘુમતી લોકો માર્યા ગયા અને કેટલા ઘાયલ થયા તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુરુવારે બાંગ્લાદેશમાં એક લઘુમતી સંગઠને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં 4 થી 20 ઓગસ્ટ વચ્ચે સાંપ્રદાયિક હિંસાની બે હજારથી વધુ ઘટનાઓમાં ઓછામાં ઓછા નવ લઘુમતીઓ માર્યા ગયા હતા અને 69 પૂજા સ્થાનોને તોડફોડ કરવામાં આવી હતી.


કોમી હિંસાની કુલ 2010 ઘટનાઓ બની

બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઓક્યા કાઉન્સિલના નેતા નિર્મલ રોઝારિયોએ સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ સાંપ્રદાયિક હિંસાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. નિર્મલ રોઝારિયોએ અહેવાલ આપ્યો કે 4 થી 20 ઓગસ્ટની વચ્ચે દેશભરના 76 માંથી 68 જિલ્લાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં 2010ની કુલ સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ બની હતી. જેના પરિણામે નવ લઘુમતી લોકોના જીવ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application