કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર

  • May 01, 2025 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસનું આજે નિધન થયું છે. તેમણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગિરિજા વ્યાસ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા અને તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી કોંગ્રેસ પાર્ટી અને તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક મહિના પહેલાં ઘરે પૂજા દરમિયાન દાઝી જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 90 ટકા શરીર દાઝી જવાને કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી અને આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના પાર્થિવ દેહને રાજસ્થાનના ઉદયપુર લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



​​​​​​​
31 માર્ચ 2025ના રોજ ગિરિજા વ્યાસને ગંભીર હાલતમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે 11:30 વાગ્યાની આસપાસ ઘરે પૂજા કરતી વખતે તેઓ દાઝી ગયા હતા અને પડી જવાને કારણે તેમને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું 90 ટકા શરીર દાઝી ગયું હતું અને તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી.


ગિરિજા વ્યાસ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા અને તેમણે રાજકારણમાં લાંબો સમય સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષને એક મોટું નુકસાન થયું છે અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application