સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે અત્યાર સુધી આતંકવાદીઓ બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હશે. તો ચાલો જાણીએ કે આ કેટલું શક્ય છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. બંને તરફથી ઘણા પ્રકારના નિવેદનો આવી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ભારત જલ્દી જ પાકિસ્તાનને આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપી શકે છે. હાલમાં કેટલાક લોકોને તે આતંકવાદીઓના ખાત્માની પણ ચિંતા છે, જેમણે આ સમગ્ર હુમલાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે અત્યાર સુધી આતંકવાદીઓ બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હશે. તો ચાલો જાણીએ કે આ કેટલું શક્ય છે અને પહલગામથી પાકિસ્તાન બોર્ડર કેટલું દૂર છે.
પહલગામમાં કઈ જગ્યાએ થયો હતો આતંકી હુમલો?
પહલગામ કાશ્મીરનું સૌથી સુંદર ટુરિસ્ટ પ્લેસ છે અને તેને ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં લોકો સૌથી વધુ ફરવા માટે આવે છે. તેથી આતંકવાદીઓએ હુમલો કરવા માટે પહલગામની અલગ-અલગ જગ્યાઓ પર રેકી કરી હતી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આવેલી બૈસરન ઘાટી એક ટુરિસ્ટ હોટસ્પોટ છે. તેને આતંકવાદીઓએ હુમલો કરવા માટે પસંદ કરી હતી. આતંકવાદીઓએ 22 એપ્રિલે ઘાટી પર હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આતંકવાદીઓએ હુમલો કરતા પહેલા જમ્મુ કાશ્મીરમાં આવેલી ઘણી જગ્યાઓની રેકી કરી હતી. તેમાં પહેલું નામ આરુ ઘાટીનું છે, પરંતુ આતંકવાદીઓએ આરુ ઘાટી છોડીને બૈસરન ઘાટી પર હુમલો કર્યો હતો. બૈસરન પહલગામથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે.
કેટલા આતંકવાદીઓએ આપ્યો હતો હુમલાને અંજામ?
રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો એક મોટી રણનીતિનો ભાગ હતો, જેને ચાર આતંકવાદીઓ અને તેમના સ્થાનિક સહયોગીઓએ અંજામ આપ્યો હતો. આ 4 આતંકવાદીઓમાં બે પાકિસ્તાની હતા, તેમનું નામ મૂસા અને અલી છે. આ આતંકવાદીઓ તેમના લોકલ કોન્ટેક્ટની મદદથી પહલગામ પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પહલગામમાં થયેલા હુમલાને લઈને આ આતંકવાદીઓ પહેલાથી અલગ-અલગ જગ્યાઓ પર રેકી કરી રહ્યા હતા. તેમનું પાકિસ્તાન આર્મી સાથે પણ કનેક્શન જણાવવામાં આવી રહ્યું છે.
પહલગામથી કેટલી દૂર છે બોર્ડર?
પહલગામથી પાકિસ્તાનની બોર્ડર એટલે કે LOC લગભગ 150 કિમી દૂર છે. આ હિસાબે પહલગામથી પાકિસ્તાન બોર્ડર સુધી જો આતંકવાદીઓ પગપાળા ચાલીને જાય તો તેમને ઓછામાં ઓછા 30 કલાકથી વધુ સમય લાગશે. એટલે કે આતંકવાદીઓના તરત જ બોર્ડર પાર કરવાની સંભાવના ઘણી ઓછી છે. બોર્ડર પર મોટી સંખ્યામાં ભારતીય સેનાના જવાનો તૈનાત રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે કે પહલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાન પહોંચી ગયા હશે, તે લગભગ અશક્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech