જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલા ખાતે આવતીકાલે સલીમ દુરાનીની ‘શ્રધ્ધાંજલી સભા’

  • April 05, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ક્રિકેટ પ્રેમીઓ, રણજીટ્રોફી પ્લેયર, નગરજનો આ કાર્યક્રમાં ઉપસ્થિત રહી સ્વ. સલીમભાઇ દુરાનીને શ્રધ્ધાંજલિ પાઠવી શકશે. જામનગર  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા મૂળ જામનગરના સલીમભાઇ દુરાની ના અવસાન બાદ સમગ્ર જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં શોકનો માહોલજોવા મળી રહ્યો છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા કાલે સ્વ. સલીમભાઈ દુરાની સિક્સર કિંગ ૬-૪-૨૦૨૩ સમય: સાંજે ૫.૦૦ વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ, જામનગર (ક્રિકેટ બંગલો) ખાતે સમગ્ર ક્રિકેટ પ્રેમીઓ માટે સ્વર્ગસ્થ સલીમભાઇ દુરાનીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટરો પૂર્વ રણજીત ટ્રોફી પ્લેયર તેમજ સ્વ. સલીમભાઇ દુરાનીના ચાહકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જામનગરનું ગૌરવ એવા અર્જુન એવોર્ડ વિજેતા સ્વર્ગસ્થ સલીમભાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application