ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માત્ર તેની શાનદાર બેટિંગ માટે જ નહી પરંતુ તેની કેટલીક રમુજી આદતોને કારણે પણ ચર્ચામાં રહે છે. રોહિતના ચાહકોને તેનો શાંત સ્વભાવ અને મસ્તમૌલા વ્યક્તિત્વ ગમે છે. તેની ‘ભૂલવાની આદત’ વિશેનો આવો જ એક રસપ્રદ કિસ્સો પાકિસ્તાની ખેલાડી ઇમામ-ઉલ-હકે તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન શેર કર્યો હતો.
ઇમામ-ઉલ-હકે જણાવ્યું કે ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે તમામ ટીમોના કેપ્ટનનું ફોટોશૂટ યોજવામાં આવ્યું હતું ત્યારે રોહિત શર્મા ફ્લાઈટમાં પોતાનો ફોન ભૂલી ગયો હતો. આ વાત ત્યારે સામે આવી જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે રોહિતનો ફોન જોયો અને પરત કર્યો.
ઇમામ-ઉલ-હકે કહ્યું કે રોહિત શર્મા એક અલગ પ્રકારનો વ્યક્તિ છે. તે ઘણીવાર પોતાના ગ્લોવ્સ અને બેટ ભૂલી જાય છે. બાબર આઝમે મને કહ્યું હતું કે એક વખત રોહિત પ્લેનમાં તેનો આઇફોન અને એરપોડ્સ ભૂલી ગયો હતો. બાબરે તેને બે વાર ફોન પરત કરવો પડ્યો હતો.
રોહિતનો ખુશખુશાલ સ્વભાવ
રોહિત શર્માના ચાહકો તેની ભૂલી જવાની આદતને તેની બેદરકારી તરીકે નથી જોતા પરંતુ તેના શાંત અને સરળ સ્વભાવના ભાગરૂપે જુએ છે. રોહિતની આ આદત તેના જીવન પ્રત્યેનો સરળ અભિગમ દર્શાવે છે. ચાહકો એ જોઈને ખુશ છે કે ક્રિકેટ જેવી તણાવપૂર્ણ રમતમાં પણ રોહિત દરેક પરિસ્થિતિને હળવાશથી લે છે.
કોહલીએ પણ ખુલાસો કર્યો હતો
રોહિત શર્માની ભૂલી જવાની આદત નવી વાત નથી. 2017માં વિરાટ કોહલીએ ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ શોમાં જણાવ્યું હતું કે રોહિત કેટલો ભૂલક્કડ છે. કોહલીએ કહ્યું હતું કે મેં બીજા કોઈને રોહિત શર્મા જેટલું ભૂલી જતા નથી જોયા. તે આઈપેડ, વોલેટ, ફોન જેવી મહત્વની વસ્તુઓ પણ ભૂલી જાય છે. તે બે-ત્રણ વખત પોતાનો પાસપોર્ટ પણ ભૂલી ગયો છે, જેને પાછો લાવવો ઘણો મુશ્કેલ હતો."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech