જામનગર નાં બર્ધનચોક, દરબારગઢ, માંડવી ટાવર વિસ્તાર કાયમી ધોરણે રેંકડી-પથારાવાળા ઓ દ્વારા ગેરકાયદેસરના દબાણો કરવામાં આવે છે. જામનગર શહેરની મુખ્ય બજાર બર્ધનચોક છે, ત્યાં જો કોઈને ઈમરજન્સી સેવા જેમ કે ફાયરફાઈટર અથવા ૧૦૮ જેવી પાયાની અને ઈમરજન્સી સેવાઓની જરૂર પડે તો તે સેવાઓ આ ગેરકાયદેસરના દબાણોના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કોઈપણ પ્રકારે પહોંચી શકે તેમ નથી.જેથી આ સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા વેપારીઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારના વેપારીઓ દ્વારા વારંવાર સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારના નિર્ણાયક પગલાં લેવામાં આવતા નથી. બર્ધનચોક વ્યાપારી એસોસિએશન ના નેજા હેઠળ વેપારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ તથા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. મ્યુનિ. કમિશનર ને રૂબરૂ મળીને અનેક વખત રજૂઆતો કરી છે. રેલીઓ કાઢીને માંગણી કરી છે પરંતુ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી.
માંડવી ટાવર, બર્ધનચોક, દરબારગઢ વિસ્તારમાં હાઈકોર્ટ દ્વારા નો-હોકીંગ ઝોન જાહેર થયા છે, પણ ત્યાં જ અસંખ્ય દબાણો ખડકાયેલા રહે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે બનાવેલ મૂતરડીને પણ દબાણકર્તા અને ભૂમાફિયાઓએ તોડી નાંખી છે, અને ત્યાં દબાણ કરી દીધા છે. આ વિસ્તાર માં નીકળતી યુવતીઓ-મહિલાઓ ની દબાણકર્તાઓ છેડતી કરતા અચકાતા નથી. લુખ્ખા શખ્સો અને અસામાજિક તત્ત્વો અહીં અડીંગો જમાવી ને પડ્યા પાથર્યા રહે છે. હાઈકોર્ટના આદેશ મુજબ લગાયેલા 'નો હોકીંગ ઝોન'ના બોર્ડ પણ આ દબાણકર્તા માથાભારે લોકોએ તોડી નાંખ્યા છે.
આ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સ્થાનિક રહેવાસીઓ- વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech