વાંકાનેર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરૂધ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રીય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સાથે જ આગામી દિવસોમાં જો પરસોતમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રીય સમાજ દ્વારા તેમના વિરૂધ્ધમાં કાર્યક્રમો કરવામાં આવશે અને તેના વિરૂધ્ધમાં મતદાન પણ કરવાની ચીમકી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વેરઝેર વધે તેવા શબ્દો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુનાહીત થતું હોય જેથી તેના પર ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવામાં આવે તેવી વાંકાનેર તાલુકાના ક્ષત્રીય સમાજની માંગણી હોવાનું જણાવાયું છે. આ બાબત ક્ષત્રીય સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે, પુરૂષોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રીય રાજપૂત સમાજની લાગણી દૂભાણી છે. આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ-જાતિમાં વ્યમનશ્ય ઉભું કરી જાતિના નામે મત માંગી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech