ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગરમાં ગરમી ઓછી: હજુ બે દિવસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી: જામનગરમાં પવનની ગતિને કારણે સંઘ્યા બાદ તો ગરમીનો અહેસાસ પણ થતો નથી
એક તરફ સૌરાષ્ટ્રમાં સૂર્યનારાયણનો પ્રકોપ વરસી રહ્યો છે અને રાજકોટ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 40 ડીગ્રી ઉપર પહોંચ્યું છે ત્યારે જામનગરમાં ખરેખર ગરમીને લઇને ખુબ જ રાહત છે, કારણ કે આજે પણ તાપમાન માત્ર 32 ડીગ્રી આસપાસ નોંધાયું છે અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોની તુલનામાં જામનગર સૌથી ઠંડુ સાબીત થઇ રહ્યું છે.
ખાસ કરીને સંઘ્યા ઢળ્યા બાદ તેજ ગતિએ જે ઠંડો પવન ફુંકાય છે તેનાથી સાંજે અને રાત્રે હીલ સ્ટેશન જેવો અહેસાસ થાય છે, ગરમી પ્રમાણમાં અન્ય શહેરો કરતા ઘણી ઓછી હોવાથી જામનગરવાસીઓને હાલ રાહતનો અહેસાસ થઇ રહ્યો છે.
જામનગરમાં સતત બીજા દિવસે સાંજે 50 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય ત્રણ શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડીગ્રી થઇ ગયું છે, કેટલાક ગામડાઓમાં અગનગોળા વરસી રહ્યા છે ત્યારે આગામી બે દિવસ ગરમી રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 32.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 23 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
ગામડાઓમાં મિશ્ર વાતાવરણને કારણે લોકો પરેશાન થઇ ગયા છે, ગળુ દુ:ખવું, શરદી, ઉધરસના કેસો પણ વધી રહ્યા છે. હાલારના ગામડા અને તાલુકા મથકો કાલાવડ, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, ખંભાળીયા, દ્વારકા, લાલપુર, ફલ્લા સહિતના ગામોમાં ગરમી જોવા મળી હતી અને લોકો ગરમીથી વાજ આવી ગયા હતાં.
ગઇકાલે ગરમીનો માહોલ વધુ શ થયો છે અને બપોરે આકરો તાપ જોવા મળ્યો હતો, ગામડાઓમાં પણ ખેડુતો આકરા તાપને કારણે પરેશાન થઇ ગયા છે, આ વખતે મહત્તમ તાપમાન 42 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
ગઇકાલે રાજકોટનું તાપમાન પણ 41 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે સૌરાષ્ટ્રમાં ખેડુતોને બપોરે ખેતરમાં કામ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે, દ્વારકા જતા પદયાત્રીઓને પાણીનો વધુ સોસ પડે છે, જામનગર શહેરમાં હજુ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે.
ગઇકાલે મોડી રાત્રે 50 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જો કે હજુ પણ મચ્છરનો ત્રાસ જોવા મળે છે, પરંતુ મહાપાલિકા દ્વારા ફોગીંગની કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
રાજકોટ તો જાણે ગરમીને લઇને સૌરાષ્ટ્રનું પાટનગર બની ગયું હોય એવી સ્થિતિ થઇ ગઇ છે, અમદાવાદમાં જેમ ચામડી બાળી નાખતો તડકો પડે છે એવો જ આકરો તાપ રાજકોટમાં પણ મહેસુસ કરવામાં આવે છે. વર્ષે-વર્ષે રાજકોટની ગરમીમાં વધારો થઇ રહ્યો છે, આમ તો પાછલા વર્ષે જામનગરમાં પણ તાપમાન રાજકોટ જેટલું નહીં પરંતુ 37-38 ડીગ્રી ઉપર માર્ચ મહીનામાં રહ્યું હતું, પરંતુ આ વખતે જામનગરનું હવામાન અલગ જ અહેસાસ કરાવી રહ્યું છે અને અહીં માર્ચ મહીનામાં હજુ આકરો તાપ પડયો નથી એ રાહતની વાત છે. જો કે મે-જુનમાં ગરમી વધવાની શકયતા નકારી શકાતી નથી, હાલમાં રાહત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech