રાહત: વેજ થાળી ૩% અને નોનવેજ થાળી ૫% સસ્તી થઈ

  • January 09, 2024 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિકસ રિસર્ચએ એક રિપોર્ટ જાહેર કર્યેા છે. આ રિપોર્ટનું નામ છે 'રાઇસ રોટી રેટ' છે. આ અહેવાલ મુજબ ડિસેમ્બરમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થવાને કારણે શાકાહારી થાળીની કિંમતમાં ૩ ટકા અને માંસાહારી થાળીની કિંમતમાં ૫ ટકાનો ઘટાડો થયો છે.

વાસ્તવમાં તહેવારોની સિઝન પૂરી થયા બાદ ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ભાવમાં મહિને ૧૪ ટકા અને ટામેટાના ભાવમાં ૩ ટકાનો ઘટાડો થયો છે. તેમના ભાવ ઘટવાને કારણે વેજ અને નોન વેજ થાળીના ભાવમાં ઘટાડો થયો છે. મરઘાંના ભાવમાં ૫ થી ૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે નોન–વેજ થાળીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હવે તેની કિંમત ૫૦ ટકા ઘટી ગઈ છે.

હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે ઘરે થાળી બનાવવાનો ખર્ચ કયા આધારે થાય છે. આ બાબત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ઇનપુટ કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં અનાજ, કઠોળ, બ્રોઈલર, શાકભાજી, મસાલા, ખાધતેલ અને રાંધણગેસના આધારે અંદાજ કાઢવામાં આવે છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક ધોરણે શાકાહારી થાળીની કિંમતમાં ૧૨ ટકાનો વધારો થયો છે, યારે નોનવેજ થાળીની કિંમતમાં ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શાકાહારી થાળીમાં વધારો થવાનું કારણ ડુંગળી અને ટામેટાના ભાવમાં વધારો છે. વધુમાં, શાકાહારી થાળીની કિંમતના ૯ ટકા જેટલો હિસ્સો ધરાવતા કઠોળના ભાવમાં પણ વાર્ષિક ધોરણે ૨૪ ટકાનો વધારો થયો છે. નોન–વેજ થાળીના ભાવમાં ઘટાડો થવાનું કારણ ઐંચા ઉત્પાદન વચ્ચે બ્રોઈલરના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકાનો ઘટાડો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application