જામનગર હાલાર રાજપૂત સમાજના નવા હોદ્દેદારોની વરણી

  • December 14, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલાર રાજપૂત સમાજના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાના સહકારી આગેવાન અને રાજપૂત અગ્રણી પ્રતાપસિંહ એસ. જાડેજા પ્રમુખપદે નિમાયા છે, જ્યારે ઉપપ્રમુખપદે નવલસિંહ પી. જાડેજા, સેક્રેટરી તરીકે ગીરુભા માનભા જાડેજા અને જો. સેક્રેટરીપદે પ્રવિણસિંહ કે. જાડેજાની વરણી કરવામાં આવી છે. આ વરણીને પૂર્વ મંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી હકુભા જાડેજા તથા અન્ય રાજપૂત અગ્રણીઓએ આવકારી છે. પી.એસ. જાડેજા અગાઉ પણ જામનગર અને દ્વારકા રાજપૂત સમાજના પ્રમુખપદે રહી ચૂક્યા છે. હાલ તેઓ ડિ.કો. બેંકના ચૅરમેન સહિતના અનેક હોદ્દા ઉપર કામ કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application