ફલોદીના ત્રણ મિત્રોએ પાંચ વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ડેફટેક અને ગ્રીન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ડીજીપીએલ)ની શરૂઆત કરી હતી. આ કંપનીએ તાજેતરમાં આર્મી માટે અશ્વબોટ નામનો લેવલ–ઓટોનોમી રોબોટ બનાવ્યો છે, જે ઈલોન મસ્કની ટેસ્લા કાર કરતાં પણ વધુ આધુનિક છે. અશ્વબોટ ૧૦૦ કિલો જેટલા હથિયારો, મિસાઈલ, દવાઓ અને અન્ય સામગ્રી લઈ જઈ શકે છે. તે માનવ મદદ વિના ગમે ત્યાં જઈ શકે છે.
ડીજીપીએલનું કહેવું છે કે, અશ્વબોટની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિફેન્સ લેબોરેટરી (ડીઆરડીઓ)એ તેમાં એક ખાસ સેન્સર લગાવવાની ઓફર પણ કરી છે જેથી પરમાણુ રેડિયેશન, રાસાયણિક અને જૈવિક હત્પમલાના જોખમના સમયે અશ્વબોટ દ્રારા સૈન્ય સામગ્રીનું પરિવહન કરી શકાય. ડીજીપીએલ હવે એવા રોબોટસ બનાવશે જે ૧૦૦૦ થી ૩ હજાર કિલો સામગ્રી લઈ જઈ શકે.
જોધપુરના ફલોદીના મનીષ ચૌધરી, ભરત થાનવી અને મધુકર મોખાએ મળીને ડીજીપીએલ સ્ટાર્ટઅપ શ કયુ. વિંગ કમાન્ડર મનીષ એરફોર્સમાં ફાઈટર એરક્રાટ પાઈલટ હતા. ભરત વકીલ છે અને મધુકર ફાર્માસિસ્ટ છે. ત્રણેએ ડિફેન્સ સ્ટાર્ટઅપ શ કયુ. વિંગ કમાન્ડર મનીષ કહે છે કે, તે વાયુસેનામાં હતો, તેથી તે સેનાની જરિયાતોને નજીકથી સમજે છે.
અશ્વબોટમાં ૭ હાઈરીઝોલ્યુશન કેમેરા, લાઇટ ડિટેકશન અને રેન્જિંગ સેન્સર, રડાર, અલ્ટ્રાસોનિક સેન્સર અને એઆઈ યુકત ટેકનોલોજી છે. જે ચાર પૈડાં પર ચાલે છે. તે ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ૨૦ કિલોમીટર સુધી દોડી શકે છે. આમાં, પ્રોગ્રામિંગ બાદ તેને ફકત ઓટીપી વડે ખોલી શકાય છે. તેમાં ૭૦ ટકા ભારતીય ભાગો સ્થાપિત થયેલા છે. હાલમાં તેની કિંમત ૭૦ લાખ પિયાની આસપાસ છે, પરંતુ કોમર્શિયલ ઉત્પાદન સાથે તેની કિંમત ૨૦ ટકા સુધી ઘટાડી શકાય છે. તે તમામ સીઝનમાં અસરકારક છે. આગળ–પાછળ કયાંય પણ ફરી શકે છે. લિથિયમ આયનની બેટરી છે. તે પોતાની બેટરી બેક અપ જાળવી રાખે છે. આપમેળે ચાજિગ સ્ટેશન પર પહોંચે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech