ભાવનગર શહેરમાં ગત શનિવારે વિજયાદશમીના પર્વે સાંજે જવાહર મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહન હતું.જે નિહાળવા હજારો નગરજનો સાંજથી એકઠા થયા હતા. જો કે આ સ્થળે રાવણ દહન પૂર્વે ફટાકડા ફોડવાની પરંપરા હોય તેમાં એક ફટાકડો ફૂટ્યો અને એકાએક સળગતો ફટાકડો જે પૂતળાને છેલ્લે ફુટવાનું હોય તે રાવણના પૂતળામાં ઘૂસી જોતજોતામાં આખા રાવણની પ્રતિમામાં રહેલા ફટાકડા થોડી જ વારમાં ફૂટી જતા રામાયણ મુજબ યુદ્ધમાં મેઘનાદ અને પછી કુંભકર્ણ મરે અને અંતે રાવણ મરે પણ જવાહર મેદાનમાં આ અવળી રીતે ફૂટેલા ફટાકડાથી રાવણ પહેલા ફૂટી ગયો અને મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા યથાવત રહી ગયા હતા. એટલે કે ભાવનગરના જવાહર મેદાનમાં રાવણ દહનમાં જવાહર મેદાનમાં મેઘનાદ અને કુંભકર્ણ જોતા રહ્યા ને રાવણ મર્યો. જો કે બાદમાં કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ આતશબાજી સાથે દહન કરાયું હતુ. વિજ્યા દશમીના પર્વે ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બે સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો થાય છે. જેમાં જવાહર મેદાન અને ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે હજારો લોકો આ રાવણ દહનને નિહાળવા આવે છે. શનિવારે સાંજે ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ ક્ષેત્રોના આગેવાનોની ઉપસ્થિતીમાં સૌ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં કેન્દ્રીય મંત્રી, મેયર અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં રાવણ દહન કરવામાં આવ્યુ હતું. આમ ભાવનગર શહેરમાં દશેરાના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે બે સ્થળોએ રાવણ દહન યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech