રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ગામે રહેતા ૧૬ વર્ષના કિશોરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.કિશોર અહીં માતા–પિતાથી અલગ દાદી સાથે રહેતો હતો અને મજુરીકામ કરતો હતો તેણે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણ શકાયું નથી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રામપરા બેટી ગામે રહેતા સંજીવની સોસાયટીમાં રહેતા સુરજ તુલસીભાઇ ભાટી(ઉ.વ ૧૬) નામના કિશોરે ગઇકાલે બપોર બાદના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.દરમિયાન સાંજના તેના દાદી ઘરે આવતા બનાવની જાણ થઇ હતી.બાદમાં સગીરને બેભાન હાલતમાં સારવાર માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યેા હતો.બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.ટી.મહેશ્ર્વરીએ અહીં આવી જોઇ તપાસી કિશોરને મૃત જાહેર કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર કિશોરને પરિવારમાં બે ભાઇ છે.તેના માતા પિતા અને ભાઇ માધાપર ચોકડી પાસે રહે છે.સુરજ અહીં માતાપિતાથી અલગ દાદી સાથે રહેતો હતો.સુરજે કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech