રામપરા બેટી ગામે ૧૬ વર્ષના કિશોરનો ફાંસો ખાઇ આપઘાત

  • February 27, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ગામે રહેતા ૧૬ વર્ષના કિશોરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.કિશોર અહીં માતા–પિતાથી અલગ દાદી સાથે રહેતો હતો અને મજુરીકામ કરતો હતો તેણે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણ શકાયું નથી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રામપરા બેટી ગામે રહેતા સંજીવની સોસાયટીમાં રહેતા સુરજ તુલસીભાઇ ભાટી(ઉ.વ ૧૬) નામના કિશોરે ગઇકાલે બપોર બાદના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.દરમિયાન સાંજના તેના દાદી ઘરે આવતા બનાવની જાણ થઇ હતી.બાદમાં સગીરને બેભાન હાલતમાં સારવાર માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યેા હતો.બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.ટી.મહેશ્ર્વરીએ અહીં આવી જોઇ તપાસી કિશોરને મૃત જાહેર કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર કિશોરને પરિવારમાં બે ભાઇ છે.તેના માતા પિતા અને ભાઇ માધાપર ચોકડી પાસે રહે છે.સુરજ અહીં માતાપિતાથી અલગ દાદી સાથે રહેતો હતો.સુરજે કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application