બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા ’માનસ નવજીવન’ અને રામકથા ’માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાયો હતો.
મોરારિબાપુનાં વ્યાસાસને યોજાતી રામકથાનાં પ્રસંગ અહેવાલ સંપાદન જાણીતા સાહિત્યકાર નીતિન વડગામા દ્વારા થઈ રહ્યું છે.
બિહારમાં રાજગીર નાલંદામાં ચાલતી રામકથા ’માનસ નાલંદા વિશ્વવિદ્યાલય’ દરમિયાન ’રામકથા માનસ નવજીવન’ ( અમદાવાદ ) અને ’રામકથા માનસ અપરાધ’ ( બરેલી ) પ્રકાશન વ્યાસપીઠને અર્પણ થયેલ છે.
મોરારિબાપુએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ પ્રકાશન એ રામકથાનો પ્રસાદ છે, જે વેચવામાં નહી, પરંતુ વહેંચવામાં આવે છે. જે વેચાય તે પ્રસાદ નથી. તેમણે અહોભાવ સાથે ઉમેર્યું કે વ્યાસપીઠ પરથી વહેતી કથા નીતિન વડગામા સંકલન કરે છે, આ જ કથા પ્રસંગ ફરી હું જ વાંચતો હોઉં છું અને અગાઉની કથાનું સ્મરણ કરતી હોઉં છું.
નાલંદામાં રામકથા ’માનસ નાલંદા વિશ્વવિદ્યાલય’ દરમિયાન આ ઉપક્રમ યોજાયો ત્યારે સંપાદક નીતિન વડગામાએ પ્રાસંગિક વાત કરતાં કહ્યું હતું કે, ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આ પ્રકાશન થઈ રહ્યું છે, મોરારિબાપુ દ્વારા કથા ગાનમાં અપાતાં જીવન મૂલ્યોનું સંદેશાત્મક સંકલન આ પ્રકાશનમાં રહેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના સાંસદના ૫૪માં જન્મદિવસ નિમિત્તે ૫૪ જેટલા વૃક્ષોનું થયુ વાવેતર
June 02, 2025 03:04 PMરેસકોર્સમાંથી સાડાત્રણ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર
June 02, 2025 03:01 PMલોકો રાણીબાગમાં આવતા ટીવી જોવા!
June 02, 2025 03:01 PMરાજીવ શુક્લા બનશે BCCIના નવા પ્રમુખ, આવતા મહિને તેઓ વર્તમાન પ્રમુખ રોજર બિન્નીની જગ્યા લેશે
June 02, 2025 03:01 PMકુતિયાણાની સુદામા ડેરી પશુપાલકોને દર મહિને એક કરોડ પિયાનો ચુકવશે વધારો
June 02, 2025 03:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech