પોરબંદરના સાંસદના ૫૪માં જન્મદિવસ નિમિત્તે ૫૪ જેટલા વૃક્ષોનું થયુ વાવેતર

  • June 02, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ ક્રિડાભારતી દ્વારા ૫૪ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.પર્યાવરણ સપ્તાહ ઉજવણી, વિશ્ર્વ  સાઇકલ દિવસ અને સન્ડે ઓન સાયકલ ના પ્રણેતા યુનિયન સ્પોર્ટસ મિનિસ્ટર ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મોત્સવ નિમિત્તેે જુનાગઢ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા  ભારતી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ જેમાં પર્યાવરણ, સ્વાસ્થય અને વૃક્ષો વાવોના અભિગમ સાથે મંત્રી  ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મદિવસ નિમિતે ૫૪ ફળદ્રુપ વૃક્ષો વાવી એક અનોખી ઉજવણી કરવામાં આવી છે. 
સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે તાલીમ મેળવતા અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરતા દરેક પ્રતિનિધિ પાસે એક વૃક્ષનું વાવેતર કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જુનાગઢના જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા, ક્રિડાભારતી પોરબંદરના પ્રમુખ લીલાભાઇ પરમાર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ તેમજ અન્ય પર્યાવરણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application