રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોડી રાત સુધી લાઇટ અને પેસેન્જરોથી ધમધમતું રહ્યું હતું. ૧૨:૩૦ વાગ્યે એરઇન્ડિયા ની દિલ્હી માટેની લાઈટ ટેક ઓફ થઈ હતી. માઈક્રોસોટનું સર્વર ડાઉન થઈ જતા જેની સૌથી વધારે ઈફેકટ એરપોર્ટ પણ થઈ હતી. દુનિયાભરમાં અનેક લાઈટ કેન્સલ થઈ હતી ત્યારે રાજકોટમાં પણ ગઈકાલે સાંજે ઈન્ડીગોની દિલ્હી અને મુંબઈ માટેની લાઈટ કેન્સલ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા ગઈકાલે આ બંને લાઈટ તેના નિર્ધારીત સમય કરતા મોડી પડશે તેવી જાહેરાત કર્યા બાદ એરલાઇન્સની ટીમ દ્રારા ખૂબ જ મથામણ કરવામાં આવી હતી પરંતુ મેન્યુઅલી કામગીરીમાં પહોંચી ન વળતા છેલ્લી ઘડીએ બંને લાઈટ કેન્સલ કરાતા ૩૦૦ જેટલા પેસેન્જરો માટે એરલાઇન્સ દ્રારા સુવિધા ઉભી કરવામાં આવી હતી જેમાં ઘણા પેસેન્જરને હોટલ અને બાકીના પેસેન્જરને ટિકિટનું રિફડં આપવામાં આવ્યું હતું.
તો બીજી તરફ એર ઇન્ડિયા દ્રારા દિલ્હીની લાઈટ રાત્રે આઠ વાગ્યાના બદલે દસ વાગ્યે ટેકઓફ કરશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે દિલ્હી માટેની આ લાઈટ રાત્રે ૧૨:૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ થી રવાના થઈ હતી. આજે સવારથી રાબેતા મુજબ નિયમિત લાઈટએ ઉડાન ભરી હતી.
રાજકોટ હીરાસર એરપોર્ટનો વોચઅવર ટાઈમ ૮:૩૦ કલાક સુધીનો છે પરંતુ ગઈકાલે સોટવેર ઇફેકટના લીધે એરપોર્ટને મધ્યરાત્રી સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. છેલ્લી લાઈટ રાત્રે ૧૨:૩૦ કલાકે ઉડાન ભરતા સિકયુરિટીથી લઈ એટીસીનો સ્ટાફ તૈનાત રખાયો હતો.
ગઈકાલે જે લાઈટ કેન્સલ થઈ હતી તેના મોટાભાગના મુસાફરો અમદાવાદ જવા રવાના થયા હતા તો બાકીના મુસાફરોએ આજની લાઈટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech