આવતી કાલથી રાજકોટનો લોકમેળો શરુ થવા જઈ રહ્યો છે, ત્યારે કલેકટર પ્રભવ જોશી, અમલીકરણ સમિતિની ટીમ, ડી.સી.પી. જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ મેળાના સુચારુ આયોજન અંગે સ્થળ મુલાકાત કરી હતી.
કલેકટરએ મેઈન એન્ટ્રી ગેટ, સ્ટેજ, સરસ મેળો, વોક-વે અને સ્ટોલ્સની કામગીરી નિહાળી હતી. તેમજ મેળામા કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મેળામાં લોકો શાંતિથી ફરી શકે તે માટે અને રસ્તામાં તેમને કોઈ પણ અડચણ ના રહે તેની ખાસ તકેદારી રાખવા અને લાઇટિંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન, પોલીસ બંદોબસ્ત અંગે જવાબદાર અધિકારીઓને બારીકાઈથી સમયબધ્ધ કામગીરી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ પૂર્વે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો ડિઝાસ્ટર વિભાગ કેવી રીતે સમયસર કામગીરી કરશે તે અંગે મોકડ્રિલ પણ યોજાઈ હતી. જેમાં ફાયર, 108, પોલીસ સહિતના વિભાગો જોડાયા હતાં.
મેળામાં ઉપસ્થિત થઈ શકતી કોઈ પણ પ્રકારની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર ટીમ ઉપરાંત એન.ડી.આર.એફ. ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આજરોજ 30 જવાઓ સાથે આ ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે.
મુલાકાત સમયે અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, એસ.સી.પી. રાધિકા બારાઈ, એ.સી.પી.ગઢવી, આરોગ્ય, ૧૦૮, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે સાંજે 4:30 કલાકે મેળાનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech