રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહી છે. તેના પરિણામો ચૂંટણીમાં દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એક નેતા હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે અને બીજા હજુ જેલમાં છે. તેઓ અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પર પણ હુમલો થયો અને આ બધું દેશના વડાપ્રધાનના આદેશ પર કરવામાં આવ્યું. મારી સામે 20 થી વધુ કેસ નોંધાયા હતા અને મને બે વર્ષની જેલની સજા થઈ હતી. મારું ઘર છીનવી લેવામાં આવ્યું અને મીડિયામાં મારા વિરુદ્ધ 24 કલાક પ્રચાર કરવામાં આવ્યો. મારી 55 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. જ્યારે તે પૂછપરછ પૂરી થઇ ત્યારે અધિકારીએ મને ઓફ કેમેરા પૂછ્યું કે તમે 55 કલાક બેઠા રહ્યા, પરંતુ તમે કેમ હલ્યા પણ નહીં. તમે તો પથ્થર જેવા છો.
આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવની તસવીર બતાવી અને કહ્યું કે અમે ભગવાનના શરણમાં છીએ. તેનાથી અમને આ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદ મળી. ભગવાન શિવના આશીર્વાદનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે તેમણે ઝેર પીધું હતું અને નીલકંઠ બની ગયા હતા. તેમાંથી જ વિપક્ષ શીખ્યા અને અમે ઝેર પીતા રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMરાજકોટ : કેસરી પુલ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
May 17, 2025 10:56 AMદ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા
May 17, 2025 10:56 AMરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech