'વડાપ્રધાન તેના રીટાયરમેન્ટ તરફ....' જયરામ રમેશે પીએમ મોદીના મેડીટેશન બાબતે કર્યા આકરા પ્રહારો

  • May 29, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાન કરશે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં પણ મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.

આ દરમિયાન પીએમ મોદી વિશે માહિતી સામે આવી છે કે તેઓ 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીની મુલાકાત લેશે. વડા પ્રધાન પીએમ મોદી કન્યાકુમારીમાં રોક મેમોરિયલની મુલાકાત લેશે અને સ્વામી વિવેકાનંદે જ્યાં ધ્યાન કર્યું હતું તે જ સ્થળે ધ્યાન મંડપમમાં 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી દિવસ-રાત ધ્યાન કરશે.


પીએમ મોદીના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ઝાટકણી કાઢી છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હવે વર્તમાન વડાપ્રધાન તે જ જગ્યાએથી તેમની નિવૃત્ત જીવન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે.


પીએમ મોદીએ રૂદ્ર ગુફામાં કર્યું ધ્યાન


2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદીએ છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન કેદારનાથની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. તે સમયે તેમની મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી.


PM મોદી વિવેકાનંદના વિઝનને સાકાર કરી રહ્યા છે: BJP


પીએમ મોદીની કન્યાકુમારી મુલાકાત પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. બીજેપી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના આધ્યાત્મિક રોકાણના સ્થળ તરીકે કન્યાકુમારીને પસંદ કરવાનો મોદીનો નિર્ણય દેશ માટે વિવેકાનંદના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.


ભાજપના અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન જે શિલા પર ધ્યાન કરશે તેની વિવેકાનંદના જીવન પર મોટી અસર પડી હતી અને તે સાધુના જીવનમાં ગૌતમ બુદ્ધ માટે સારનાથ જેટલું જ મહત્વ ધરાવે છે. દેશભરમાં પ્રવાસ કર્યા પછી વિવેકાનંદ અહીં પહોંચ્યા હતા અને  ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application