સિહોરના મોટાચોક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર મંદિર પર અજાણ્યા શખ્સોએ પથ્થરોના ઘા કર્યાની ઘટનાની જાણ થતાં જ સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી હતી. વાયુવેગે સમાચાર વહેતા થતાં જૈન અગ્રણીઓ સહિત પોલીસનો કાફલો પણ મંદિરે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં દેરાસર નજીક કેટલાક બાળકો રમી રહ્યા હતા જે દરમ્યાન બાળકોએ ફેંકેલા પથ્થર દેરાસરમાં પડ્યાનું ખુલ્યું હોવાનું સિહોર પોલીસે જણાવ્યું હતું. સિહોરના મોટાચોક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર ખાતે રાત્રીના સમયે અજાણ્યા શખ્સ એ પથ્થરોના ઘા કર્યાની ઘટનાના પગલે સમગ્ર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી, બનાવને લઈ સિહોર જૈન અગ્રણીઓ દેરાસર ખાતે પોહચ્યા હતા.જ્યારે સમગ્ર ઘટનાની જાણ કરાતા સિહોર પોલીસના પીઆઈ જાડેજા, ડી સ્ટાફ, સહિત મોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરતા દેરાસર નજીક કેટલાક બાળકો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા જે દેરાસરમાં પડ્યા હોવાનું ખુલ્યું હતું તેમ સિહોર પોલીસના સાધનોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભગવાન ઝુલેલાલનો ૧૦૭૫મો જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવ
March 31, 2025 12:58 PMભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech