જામનગર જિલ્લામાં પરવાનો પૂર્ણ થવા છતાં હથિયાર રાખનારા સામે પોલીસની લાલ આંખ

  • June 10, 2022 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજી દ્વારા હથિયાર રીન્યુ નહીં કરાવનારા ૯૬ પરવાનેદારોના હથિયારો જમા કરી લેવાયા

જામનગર જિલ્લામાં હથિયારનો પરવાનો પૂરો થઈ ગયા પછી પરવાનેદાર દ્વારા પોતાના હથિયારોનો પરવાનો રિન્યૂ કરાવાયો નથી, અને પરવાના વગર પોતાના હથિયાર વાપરતા હોવાથી આવા પરવાનેદારો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને ૯૬ હથિયારો પોલીસ મથકમાં જમા કરી લેવાયા છે.
 જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયારનો પરવાનો ધરાવનારા પરવાનેદારોની મોજણી  કરાવ્યા પછી એસ.ઓ.જી. શાખાની ટીમને દોડતી કરાવાઈ હતી, અને હથિયારનો પરવાનો પૂર્ણ થઈ ગયા પછી પરવાનેદારો પોતાની પાસે બિનઅધિકૃત રીતે હથિયારો રાખે છે કે કેમ, તેની ચકાસણી કરવા માટેની સૂચનાઓ આપી હતી.
 જે અનુસાર એસ.ઓ.જી. શાખા દ્વારા જામનગર શહેર-જિલ્લામાં તમામ પરવાનેદારોનું લિસ્ટ મેળવીને હથિયારના પરવાના અંગે ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાને ૯૬ હથિયારના પરવાનેદારો એવા મળ્યા હતા, કે જેઓએ પોતાના હથિયારનો પરવાનો રિન્યુ કરાવ્યો ન હતો, અને તેમ છતાં પણ પોતાના હથિયારો રાખતા હતા. જેથી આવા ૯૬ હથિયારો એસઓજીની ટીમ દ્વારા કબજે કરી લેવાયા છે. આ કાર્યવાહીને લઇને હથિયારના પરવાનેદારો, કે જેઓ રીન્યુ કરાવતા નથી, તેવા પરવાનેદારોમાં દોડધામ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application