અફઘાનિસ્તાનના બદખ્શાંન પ્રાંતમાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયાના અહેવાલ છે. હાલ અકસ્માતમાં જાનહાનિની સંખ્યા વિશે કોઈ માહિતી નથી. જો કે અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે તે ભારતીય વિમાન હતું અને મોસ્કો જઈ રહ્યું હતું. બીજી તરફ ભારતે કહ્યું કે તે પ્લેન અમાં નથી. તપાસ માટે ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે અને તપાસ શરૂ કરી છે.
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક વિમાન ક્રેશ થયું છે. અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે તે ભારતીય વિમાન હતું અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, ભારત સરકારનું કહેવું છે કે આ વિમાન ભારતનું નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ગત રાત્રે જે વિમાન ક્રેશ થયું તે ભારતીય નથી. ડીજીસીએના અધિકારીએ પુષ્ટ્રિ કરી છે કે આ ભારતીય વિમાન નથી. ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર, બદખશાન પ્રાંતના પહાડોમાં ક્રેશ થયેલું પ્લેન રશિયાનું હતું.
મંત્રાલયે ટીટ કયુ છે કે અફઘાનિસ્તાનમાં જે દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટના થઈ છે તે ભારતીય વિમાન નથી. આ વિમાન રશિયામાં નોંધાયેલું હતું. ભારતની જે લાઈટ દિલ્હીથી મોસ્કો ગઈ હતી તે આજે મોસ્કોમાં લેન્ડ થઈ છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં ૬ મુસાફરો હતા.
રશિયન ઉડ્ડયન અધિકારીઓનું કહેવું છે કે શનિવારે સાંજે એક રશિયન વિમાન અફઘાનિસ્તાન ઉપર રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં ૬ લોકો સવાર હતા. આ એરક્રાટ ફ્રાંસનું ડેસો ફાલ્કન ૧૦ જેટ હતું. આ એક ચાર્ટર પ્લેન હતું જે ભારતથી મોસ્કો થઈને ઉઝબેકિસ્તાન જઈ રહ્યું હતું.
ઘટના અંગે માહિતી આપતા બદખ્શાનમાં તાલિબાનના માહિતી અને સંસ્કૃતિના વડા ઝબીહત્પલ્લા અમીરીએ જણાવ્યું હતું કે વિમાન ઝેબક જિલ્લાના આર્ટિલરી વિસ્તારમાં ક્રેશ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech