અમેરિકામાં ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા ૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી આ અંગે કાર્યવાહી વધુ તીવ્ર બની છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા ૫૩૮ લોકોમાં સેંકડો એવા છે જેમને અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવ્યા છે. તેમને લશ્કરી વિમાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને બહાર કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે, છેલ્લા ૪ વર્ષેામાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસનું પૂર આવ્યું છે. આ લોકોને બહાર કાઢવાની જર છે. જેથી અમેરિકન સંસાધનોનો ઉપયોગ અહીંના લોકો માટે થઈ શકે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'લાખો સ્થળાંતર કરનારાઓ ગેરકાયદેસર રીતે સરહદમાં પ્રવેશ્યા છે. આ લોકો સીધા લાઇટ દ્રારા આવ્યા છે અથવા કોમર્શિયલ લાઇટ દ્રારા આવ્યા છે. હવે તેઓ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ બધું અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને થયું છે. આગળ ક્રમમાં આવા લોકોને અમેરિકાની સુરક્ષા માટે ખતરો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ રાષ્ટ્ર્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે ખતરો બની ગયા છે. આ ઉપરાંત, નિર્દેાષ અમેરિકનો તેમના દ્રારા કરવામાં આવેલા ગુનાઓનો ભોગ બની રહ્યા છે. ૨૩ જાન્યુઆરીએ જ યુએસ કોંગ્રેસે લેકન રાયલી એકટને મંજૂરી આપી દીધી છે, જે ખાતરી કરે છે કે, નકલી દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાંકી કાઢવા જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સામે કાર્યવાહી ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટસની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર્રપતિ બન્યા પછી થઈ હતી. સંપૂર્ણ આંકડા આપતાં, વ્હાઇટ હાઉસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકન એજન્સીઓએ ૫૩૮ લોકોની ધરપકડ કરી છે. આમાંથી સેંકડો લોકોને બહાર પણ મોકલી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન છે, જેના હેઠળ મોટાપાયે લોકોને બહાર કાઢવામાં આવશે. અમે વચન આપ્યું હતું અને હવે તે પૂર્ણ થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસે પણ આ અંગે ટિટ કયુ છે અને સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી છે.
અમેરિકામાં રિટર્ન ટિકિટ ન હોય તેવા ભારતીયોને એરપોર્ટથી પાછા મોકલી દેવાયા
અમેરિકાના એક એરપોર્ટ પર ભારતીયોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતાને રિટર્ન ટિકિટ ન હોવાને કારણે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ દંપતી પાસે બી-1 અથવા બી-2 વિઝિટર સ્ટેટસ છે અને આ આધારે તેમણે પાંચ મહિના માટે યુએસમાં રહેવાની યોજના બનાવી હતી. જોકે, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો મુજબ, હવે અહીં રહેવા માટે તેમના માટે રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. એરપોર્ટના અધિકારીઓએ તમામ દલીલો અને ખુલાસાઓ ફગાવી દીધા હોવાનું કહેવાય છે અને માતાપિતાને એરપોર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech