રાજમહેન્દ્રવરમ જનસેના પાર્ટી (JSP)ના વડા અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે સનાતન ધર્મના રક્ષણ માટે એક વિશેષ દળ “નરસિંહ વારાહી ગણમ” (NVG) ની રચના કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણને મજબૂત કરવાનો છે. પવન કલ્યાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલું તેમની બિનસાંપ્રદાયિકતા અને બંધારણ પ્રત્યેના સન્માનમાં કોઈ ઘટાડો લાવશે નહીં. તેમનું માનવું છે કે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ પરંતુ કોઈપણ પ્રકારનું અપમાન સહન કરવામાં આવશે નહીં.
પવન કલ્યાણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે રાજ્યમાં જો કોઈ જૂથ અથવા વ્યક્તિ અન્ય કોઈ ધર્મનું અપમાન કરશે તો તેમની પાર્ટી તેને સહન કરશે નહીં. તેમણે કહ્યું કે દરેક હિંદુએ પોતાના ધર્મનું સન્માન કરવાની સાથે અનુશાસન શીખવું જોઈએ. આ સાથે તેમણે આંધ્ર પ્રદેશના એન્ડોમેન્ટ્સ વિભાગને અન્ય ધર્મોનું અપમાન કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમનું કહેવું છે કે આવા વર્તનને રોકવા માટે સમાજમાં જાગૃતિ વધારવાની જરૂર છે.
YSRC સામે કડક કાર્યવાહીની ચેતવણી
યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ હિન્દુ યુવા વાહિની નામનો મોરચો બનાવ્યો હતો. જોકે હવે આ મોરચો રાજકીય રીતે બહુ સક્રિય નથી. પવન કલ્યાણે એમ પણ કહ્યું કે જો YSR કોંગ્રેસ (YSRC)ના નેતાઓ અથવા કાર્યકરો સોશિયલ મીડિયા પર NDA અથવા મહિલાઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં હાર છતાં YSRCએ કોઈ પાઠ શીખ્યો નથી અને તેઓ પોતાની ભૂલોથી માત્ર પક્ષને જ નહીં પરંતુ સમાજને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. પવન કલ્યાણે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પવન કલ્યાણ ધર્મનું અપમાન સહન નહીં કરે
અંતે પવન કલ્યાણે એમ પણ કહ્યું કે જો આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટી (APCC)ના વડા વાયએસ શર્મિલાને સુરક્ષાની જરૂર હોય તો તેઓ આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવવા તૈયાર છે. આ પગલું દર્શાવે છે કે તેમની પાર્ટી માત્ર ધર્મની રક્ષા માટે જ પ્રતિબદ્ધ નથી પરંતુ તમામ લોકોની સુરક્ષાને પણ મહત્વ આપે છે. આવી સ્થિતિમાં પવન કલ્યાણની આ પહેલ સમાજને એક નવો સંદેશ આપવાનો પ્રયાસ
કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech