રાજકોટ ડિવિઝનમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવગઠિત મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ઉપસ્થિત સભ્યોમાંથી ક્ષેત્રીય ઉપભોક્તા સલાહકાર સમિતિ (ZRUCC) માટે પાર્થ ગણાત્રાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. જેઓ ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટથી નામાંકિત છે. ડીઆરએમ અશ્વિની કુમારે નવા ZRUCC મેમ્બરની પસંદગી માટે ગણાત્રાને આ અવસર પર અભિનંદન પાઠવ્યા હતા.
આ પછી સમિતિના અધ્યક્ષ અને રાજકોટ મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમાર દ્વારા સંક્ષિપ્ત પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ સભ્યોને મંડળની ગતિવિધિઓ અને વિકાસ કાર્યોથી અવગત કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સમિતિ સભ્યો દ્વારા પોત-પોતાના ક્ષેત્રની રેલ સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવી પરિયોજનાઓ ઝડપથી પૂરી કરવા અને મંડળના સ્ટેશનો પર વધુ સારી યાત્રી સુવિધાઓ પ્રદાન કરવા માટે પોતાના સૂચનો આપ્યા હતા. મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમારે તમામ સભ્યોના સૂચનો પર ઝડપથી યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું કે, યાત્રી સુવિધાઓનો વિકાસ રાજકોટ ડિવિઝનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તથા આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech