મેઘપર ગામમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું

  • April 27, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતિએ બે-ચાર દિવસ પછી માવતરે જવાનું કહેતા લાગી આવવાથી પગલુ ભર્યુ


મેઘપર ગામમાં રહેતી જલ્પાબા હરપાલસિંહ કંચવા (ઉ.વ.30) નામની પરીણીતાએ તેમના પતિને માવતર આંટો મારવા જવાનું કહયુ હતું, આથી પતિએ બે-ચાર દિવસ પછી જવાનું કહેતા તેણીને મનમાં લાગી આવતા પોતાની મેળે મના પીઢીયામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ હતું.

આ અંગે લાલપુરના મેઘપર ગામ મઢુલી પાસે રહેતા હરપાલસિંહ કનુભા કંચવાએ પડાણા પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application