પહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ

  • April 23, 2025 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, કેબિનેટ સચિવ અને સંરક્ષણ સચિવ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પહલગામ હુમલાના જવાબમાં કડક પગલાં અને પાકિસ્તાન વિરુદ્ધ એક્શન પ્લાન પર નિર્ણય લેવાઈ શકે છે.


પહલગામ હુમલાએ સુરક્ષા ચિંતાઓ વધારી

પહલગામના બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ સ્ટીલ બુલેટ્સનો ઉપયોગ કરીને નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ભારતના વિવિધ રાજ્યો (ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા)ના પ્રવાસીઓ સાથે યુએઈ અને નેપાળના બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), જે લશ્કર-એ-તૈયબાનું સહયોગી છે, તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application