રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલને મળ્યું વધુ એક ત્વચાદાન

  • August 21, 2023 08:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલને તાજેતરમાં વધુ એક ત્વચાદાન મળ્યું છે. ૧૫ ઓગસ્ટના દિવસે અવસાન પામેલા હરસુખભાઈ ચોલેરાના  પરિવારે તેમના નશ્વર દેહનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો, આથી તેમના પુત્ર શ્રી મયુરભાઈ ચોલેરાએ તેમના પિતાજીના અવસાન બાદ તાત્કાલિક પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલની સ્કીન બેંકનો સંપર્ક કર્યો અને સ્કીન બેંકની ટીમે તાત્કાલિક હાજર થઈ સ્વ. હરસુખભાઈ ચોલેરાની સ્કીનનું હાર્વેસ્ટિંગ કરી સ્કીન ડોનેશનમાં મેળવી હતી. આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓ અને અન્ય દર્દીઓના બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ તેમની સ્કીનનો ઉપયોગ થઈ શકશે. 


રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ત્વચાદાન જાગૃતિ માટે તબીબી અધિક્ષક ડો. આર એસ ત્રિવેદી તથા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયા સતત પ્રયત્નશીલ છે, તેમના સક્રિય સહયોગ તથા લોકજાગૃતિને લીધે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટને અંગદાન તથા ત્વચાદાન માટે જાગૃત નાગરિકોનો સતત પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application